સો સો સલામ છે અમદાવાદની 6 વર્ષની ભૂલકીને… બહાદુરી બતાવી બચાવ્યા 60 લોકોના જીવ, તમને પણ થશે ગર્વ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

અમદાવાદની એક નાનકડી બાળકીએ એવી બહાદુરી બતાવી છે કે આજે સૌ તેના વખાણ કરી રહ્યા છે. આ બહાદુરી બદલ છ વર્ષની આ ભૂલકીને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ 26 જાન્યુઆરીએ મળવાનો છે. આ બહાદુરી બાળકી વિશે વાત કરીએ તો તેનુ નામ વિરાંગના ઝાલા છે અને તે અમદાવાદના રાજપથ ક્લબ પાસે પાર્ક વ્યૂની રહેવાસી છે. 7 ઓગસ્ટ, 2022ના દિવસે  પાર્ક વ્યૂ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ દરમિયાન વિરાંગના ફર્સ્ટ ક્લાસમાં ભણતી જ હતી. વીરાંગના ટીવી જોતી હતી અને તેણે રિમોટ દબાવતા જ તેમાંથી એક સ્પાર્ક થયો.

પંડ્યા અને કોહલી વચ્ચે ચાલી રહ્યો છે જાની દુશ્મન જેવો ડખો? હાર્દિક પંડ્યાની આ હરકતથી આખા ગામમાં ખળભળાટ મચી ગયો

ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર, હવે હેલ્મેટ પહેર્યું હશે તો પણ તમારે 2000 રૂપિયાનો મેમો ફાટી જશે! આજે જાણી લો નવા નિયમો

આખા વર્ષ માટે શુક્ર આ રાશિના લોકોને મોજે મોજ થઈ જશે, ઘરને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિથી ભરી દેશે, જાણી લો તમે એમા છો ને નહીં?

 

આ બાદ તરત જ તે સ્પાર્ક આગ બનવા લાગ્યો અને થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આ સમયે વિરાંગનાએ ડરથી ચીસો પાડવા કે રડવાને બદલે તરત જ આસપાસના લોકોને અહી આગ લાગી હોવાની ચેતવણી આપી દીધી. તેની આ સમજદારીને કારણે  કોઈ જાનહાનિ ન થઈ. વીરાંગનાએ તેના પિતા આદિત્ય સિંહ અને માતા કામાક્ષીને પણ તરત આ આગ વિશે જાણ કરી દીધી. વિરાંગનાનઆ ગુણે લગભગ 60 લોકોના જીવ બચાવી લીધા.

રડવાને બદલે બતાવી સમજદારી 

આ માટે વીરંગનાને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ આપવાના સમાચાર છે. જો કે આ પરિવારમા કઈ નવુ નથી કે કોઈને એવોર્ડ મળી રહ્યો હોય.

વિરાંગના દાદાને પણ મળી ચૂક્યો છે રાષ્ટ્રીય પુરસ્કાર

આ અગાઉ વિરાંગના દાદા કૃષ્ણકુમારસિંહ ઝાલા જેઓ એનસીસી કેડેટ હતા. તેઓને પણ 1969માં પ્રજાસત્તાક દિવસે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તરફથી ‘ઓલ ઈન્ડિયા બેસ્ટ કેડેટ જુનિયર ડિવિઝન’ એવોર્ડ મળ્યો હતો.

 


Share this Article