ગુજરાતમાં હવે કોરોના કેસો ઘટી રહ્યા છે. આ જોતા આજે રાજ્યના ગ્રુહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. સરકારે શિવરાત્રી પહેલા કોવિડ સંક્રમણને લગતાં તમામ નિયંત્રણોને દૂર કરવાનુ જાહેરનામામા જણાવ્યુ છે. આ સાથે માસ્ક પહેરબા અને જાહેર સ્થળોએ સોશીયલ ડિસ્ટન્સિગનું પાલન તેમજ હાથ ધોવા, થુંકવા પર પાબંધી રાખવામા આવી છે.
મળતી માહિતી મુજબ નવી નવી ગાઈડલાઈનમા કોરોનાકાળ દરમિયાન લાદવામા આવેલા તમામ નિયંત્રણો હટાવી દીધા છે. કાર્યક્રમો, લગ્ન પ્રસંગો યોજવા વધારે સરળ થયા છે. ગુજરાતને લગભગ બે વર્ષ બાદ આટલી મુક્તિ મળી છે. કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે માટે સરકારે આ નિર્ણય લીધો હતો. ગુજરાત જ નહીં ભારતમાં પણ કોરોના ડાઉન થઈ રહ્યો છે.