અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી દીધી છે. આ આગાહી માત્ર ગુજરાત નહી પણ આખા દેશ માટે કરવામા આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે જે મુજબ સપ્ટેમ્બર માસમાં વાવાઝોડાના ત્રિપલ એટેક થઈ શકે છે. બંગાળની ખાડી પર સિસ્ટમ બનશે અને તેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે.
આ વિસ્તારોમા પવનનું જોર વધશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકે તેવી સંભાવના છે. આ વિશે વિગતે વાત કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેકે કહ્યુ છે કે 6 થી 8 તારીખ દરમિયાન પહેલા બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે અને ત્યારબાદ 12થી 17માં બંગાળની ખાડીમાં સિસ્ટમ એકટીવ થઈ તે 27થી 5 ઓક્ટોબર સુધીમા ચક્રવાતોમા ફેરવાઈ જશે.
ગુજરાતના અમુક વિસ્તારોમા વાવાઝોડું ગમે ત્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. આ પાછલનુ કારણ તેમણે અવકાશમાં રહેલા બે ગ્રહો જવાબદાર હોવાનુ જણાવ્યુ છે. આગાહી જોતા ગુજરાતના દરિયાકાંઠાવાળા જીલ્લાઓના તમામ માછીમારોએ પોતાની બોટ લાગરી દીધી છે. સલાયા બંદરે મોટી સંખ્યામાં બોટનો ખડકલો કાંઠા પર જોવા મળશે.