Gujarat News: હવામાન વિભાગ અને અંબાલાલ અવારનવાર ગુજરાતમાં હવામાન વિશે આગાહી કરતા રહે છે. ત્યારે હાલમાં અંબાલાલ પટેલે નવરાત્રિ અને દિવાળીને લઈ વરસાદની આગાહી કહી છે. આ આગાહીથી લોકોમાં દુખી અને સુખી બન્ને માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે.
અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 98 ટકા વરસાદ નોંધાયો છે. જોકે ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. સપ્ટેમ્બરમાં સારો વરસાદ આવે તેવી આશા છે. જોકે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયુ અને તેના કારણે અમુક વિસ્તારમાં સારો વરસાદ થયો છે.
જો કે આટલા બાદ પણ કેટલાક વિસ્તાર કોરો રહ્યા છે. હજુ પણ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.