ભવર મીણા (પાલનપુર): યુક્રેનથી આવેલી અમીરગઢની દીકરી જિનલ અગ્રવાલ હેમખેમ પોતાના માદરે વતનમાં આવી જતા તેઓ એ જણાવ્યું હતું, સરકાર પર વિશ્વાસ રાખો સૌ ભારતીય વતનમાં આવશે. જો કે ઘરે આવેલી પુત્રીને જોઈ પરિજનો હરખાઈ ગયા હતા. અમીરગઢ નિવાસી અને નગર શેઠ પોપટલાલ અગ્રવાલ ના પુત્ર મનીષ અગ્રવાલની દીકરી યુક્રેનના વિનિતસિયામાં એમ.બી.બી.એસના અભ્યાસ અર્થે ગઈ હતી.
જોકે યુદ્ધ શરૂ થઈ જતા પરિજનો ચિંતિત બન્યા હતા અને રોજ બે થી ત્રણ વાર વિડિઓકોલીગ તેમજ ફોન કરી તેમજ ટીવીના માધ્યમથી ત્યાંની સ્થિતિ જાણી રહ્યા હતા. ત્યારે ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને લાવવાની ખાત્રી આપવામાં આવતા તેઓ સરકારના આશ્વાસન પર વિશ્વાસ રાખી દીકરી પરત આવવાની રાહ જોઈ બેઠા હતા ,અને દીકરી જિનલ અગ્રવાલ બુધવાર ના બપોરે પોતાના ઘરે અમીરગઢ આવતા પરિજનો ભેટી હરખાઈ ગયા હતા અને સરકારનો ઉપકાર માન્યો હતો.
આ બાબતે જિનલ અગ્રવાલે જણાવ્યું હતું કે,ભારત સરકારે આપેલા આશ્વાસન મુજબ કેટલાક વિદ્યાર્થીઓ ઘરે પહોંચી ગયા છે માટે હું સરકાર નો આભાર માનું છું તેમજ બાકી ના લોકો પણ પરત પોતા ના વતન માં આવશે તેવી આશા રાખું છું