પાટણ ( દિનેશ સાધુ ): સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બનેલી સગીરા ઉપર બળાત્કારની ઘટનાને લઇને સાતલપુર તાલુકામાં રોષની લાગણી જોવા મળી રહી છે. સાંતલપુર પોલીસ એ ત્રણ આરોપીની ધરપકડ પણ કરેલી છે. સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી સગીરાને ગાડીમાં બેસાડી નર્મદા કચ્છ કેનાલ ઉપર લઈ જઈને સગીરા ઉપર બળાત્કાર ગુજારેલ હતો.
સગીરા અને કેનાલ ઉપર છોડીને ભાગી જતા સગીરાએ તેના વાલી વારસોને જાણ કરતા વાલી વારસા દ્વારા સાતલપૂર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સગીરાને ધારપુર મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે મૂકવામાં આવેલ છે.
સાતલપુર પોલીસે આરોપી વિરોધ કલમ 376/363/366/170/190/562/114/3/એ4/17/ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાધનપુર ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલા દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનેના પી એસ આઈ એન ડી પરમાર ને તપાસ સોંપવામાં આવી છે અને હાલમાં આ તપાસ ચાલી રહી છે.