રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પર દુષ્કર્મનો આરોપ લાગતા રાજકારણ ગરમાયુ છે. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર આ રોપ લાગ્યો છે. આ આરોપ ખેડા જિલ્લા એસ.પી. કચેરીમા હલદરવાસ ગામના પૂર્વ સરપંચે લગાવ્યો છે. તેમણે અર્જુનસિંહ ચૌહાણ અંગે અરજીમાં આક્ષેપ કર્યો છે કે તેઓ ધારાસભ્ય અને ભાજપ જિલ્લા પ્રમુખ હતા ત્યારે તેમણે હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરીને મારી પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ મંત્રીના ભયના કારણે મારી પત્ની ઘર છોડીને પણ જતી રહી છે.
પત્ની પર બળાત્કાર તથા શારીરિક શોષણના આરોપો અંગે વાત કરતા હલદરવાસ ગામના પૂર્વ સરપંચે કહ્યુ કે મારી પત્ની મારૂ ઘર છોડી જતી રહી છે. આ સાથે તેણે મીડિયા સાથે આ અંગે વાત કરી ત્યારે જણાવ્યુ કે પત્ની સાથે 2015માં પરિચયમાં આવેલા અર્જુનસિંહ ચૌહાણે 2016 થી 2021 સુધી તેની પત્ની સાથે શારીરિક શોષણ કર્યું છે.
આ સાથે સરપંચ પતિએ આરોપ લગાવવ્યો કે અર્જુનસિહે તેની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી અને ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરતા રહ્યા. વાત માત્ર આટલી જ નથી તેઓ બીજા પાસે મોકલીને પણ પત્નીનુ શોષણ કરાવડાવ્યું હતુ. આ બાદ દોઢ મહિના સુધી આ ચાલ્યો અને આખરે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી. પરંતુ પોલીસ ફરિયાદ કરવાના બદલે ઘર છોડી ચાલ્યા જવાની સલાગ આપવામા આવી.
અરજદારે જણાવ્યુ છે કે 2015મા અર્જુનસિંહ મારી પત્નીના સંપર્કમાં આવ્યા અને હોદ્દાનો પ્રભાવ બતાવીને મારી પત્ની સાથે શારિરીક શોષણ કર્યું. પત્નીને તાલુકા પંચાયતની સભ્ય બનાવી દીધી. આ બાદ મીટિંગોના બહાને પત્ની સાથે જવાનુ ચાલુ કર્યુ. આ બધુ 2016થી 2021 સુધી ચાલ્યુ. આ બાદ મારી પત્નીને અર્જુનસિંહે ધમકી આપી હતી કે આ વાત બહાર જશે તો તારા ફેમિલીને પૂરું કરાવી દઈશ….