કહેવાય છે કે ‘મહાભારત’ અને રામાયણયુગમા થઈ ગયેલી અમુક આત્માઓ આજ સુધી અસ્તીત્વમા છે. આજે અહી વાત કરવામા આવી રહી છે ગુજરાતમાં નર્મદાના કાંઠે આવેલા શૂલપાણેશ્વરની. અહીના જંગલમાં એક લોકોને રાતને સમયે અજીબ અવાજો સંભળાય છે. માત્ર આટલુ જ નહી અમુક લોકોએ દાવો કર્યો છે તેમને અહી એક ભટકતો માણસ હોય તેવો અનુભવ કર્યો છે અને આ માણસ બીજુ કોઈ નહી પણ 5 હજાર વર્ષથી એક અભિશાપના કારણે ભટકી રહેલ યૌદ્ધા અશ્વત્થામા હોઈ શકે છે.
પૌરાણીક ઈતિહાસ મુજબ જો માનવામા આવે તો અશ્વત્થામા પાંડવો અને કાૌરવોના ગુરૂ દ્રોણાચાર્યના પુત્ર હતા અને મહાભારતના યુદ્ધ સમયે પાંડવોને ગુરૂ દ્રોણાચાર્યનો વધ કરવો હતો. આ માટે તેમણે યુક્તિ કરી અશ્વત્થામાં માર્યો ગયો તેવી અફવા ફેલાવી. બીજી તરફ આ અફવા બાદ ગુરૂ દ્રોણ શોકમાં ડૂબ્યા અને પાંડવોએ તેમની હત્યા કરી નાખી. આ બાદ અશ્વત્થામાંને આ વાત જાણ થતા તે પાંડવ પુત્રો પાસે આવ્યો અને અર્જૂન અને અશ્વત્થામાં વચ્ચે યુદ્ધ થયું.
આ સમયે બંનેએ બ્રાહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. જો કે આ સમયે વિશ્વના વિનાશના ભયને જોતા મહર્ષિ વેદ વ્યાસે તરત જ બન્નેને શસ્ત્રાો પાછા ખેંચવા કહ્યું પણ અશ્વત્થામાં બ્રહ્માસ્ત્ર પાછુ ન ખેચ્યુ. તેને કોઈ એક નિશાન સાધવા કહ્યું અને તેણે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ શસ્ત્રની દિશા બદલી હતી જેથી ગુસ્સે થઈને અર્જૂને અશ્વત્થામાના માથા પરની મણી પર વાર કર્યો. આ પાપની સજા માટે ભગવાન ક્રુષ્ણને અશ્વત્થામાને 6000 વર્ષ સુધી પૃથ્વી પર ભટકતું જીવન જીવવાનો શ્રાપ આપ્યો.
કહેવાય છે કે આજે પણ સાતપુરાના સુમસામ જંગલમાં અશ્વત્થામાં ભટકી રહ્યા છે અને માખણેશ્વર મહાદેવની પૂજા કરવા માટે આવે છે. અહીના આદિવાસી લોકો દાવો કરે છે કે રાત્રીના અંધકારમાં કાળામાથાનો માનવી જોયો છે. મળતી માહિતી મુજબ માથાવાડી ગામે માથા વગરનો 7 ફૂંટ ઉંચો ફરતો કદ્દાવર અશ્વત્થામા જોવા મળે છે. અશ્વત્થામના માથા પર માંખો બણબણતી હતી અને તે રાહત મળે તે માટે માખણ માગતો હતો. કહેવાય છે કે જ્યારે અર્જૂને વાર કર્યો ત્યારે અશ્વત્થામાના માથા પરની મણી નકિળી ગઈ અને એક ઊંડો ઘા તેના માથા પર થયો જેમાંથી આજે પણ લોહી નકિળે છે. અનેક વખત આ પીડામાંથી શાંતિ મેળવવા માટે અશ્વસ્થામાં શૂલપાણેશ્વરના જંગલ વિસ્તારના ગામડાઓમાં માખણ અને હડદર માગી રહ્યો હોવાના દાખલા મળે છે.
અશ્વત્થામાંએ સ્થાપીત કરેલી એક શિવલીંગ પણ માથાવાડી ગામથી નજીકમા બોરિયા ગામમાં માખણેશ્વર મહાદેવનું મંદિર ખાતે આવેલ છે. અહી ખુદ અશ્વસ્થામાએ તપ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા જે બાદ મંદિરની બાજુમાં આવેલું આખું તળાવ માખણથી ભરાઈ ગયું. અહી પૂજારી રાત્રે મંદિર બંધ કરીને જાય છે, ફૂલનો શણગાર ઉતારીને જાય, પરંતુ સવારે જયારે મંદિરનો દરવાજો ખોલવામા આવે ત્યારે તાજા ફૂલ અને બિલપત્રથી પૂજા થયેલી જોવા મળે છે.