ઉત્કર્ષ મહિલા સેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ખાતે રક્ષાબંધનના તહેવારના ભાગરુપે દિવ્યાંગ બહેનો દ્રારા રાખડીઓ બનાવવામા આવે છે.
આ રાખડીઓને ન.પા.શિક્ષણ સમિતિ શાળાઓમા, પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક શાળાઓમાં રક્ષાબંધન એકઝિબિશનનો કાર્યક્રમ રાખવામા આવે છે.
દિવ્યાંગ બહેનો દ્રારા જ વેચાણ કરવામા આવે છે. ઉત્કર્ષ મહિલા સેવા ટ્રસ્ટે દિવ્યાંગો માટે સેવાસેતુ સમાન કાર્યરત છે. દિવ્યાંગ બહેનો આત્મનિર્ભર બને તેજ સંસ્થાનો મુખ્ય ઉદેશ છે. ત્યારે આ વર્ષે પણ લોકોનો સરસ રિસપોન્સ મળે એવી ટ્રસ્ટને આશા છે.