પ્રકાશ કારેણા ( ભાણવડ ) : ભારત સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે તમામ નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને જગાડવા માટે હર ઘર તિરંગા નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન આઝાદીના અમૃત મહોત્સવનો એક ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો આગ્રહ કર્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ લોકોને તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચર્સને તિરંગામાં બદલવા માટે કહ્યું છે. હર ઘર તિરંગા કેમ્પેન હાલમાં આખા ગુજરાતમાં પણ જોરોશોરથી ચાલી રહ્યું છે. ત્યારે ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે “હર ઘર તિરંગા” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી જાડેજા સાહેબ તેમજ જિલ્લા સ્ટાફ સાથે તાલુકા વિકાસ અધિકારી ચુડાસમા સાહેબ, ભરતભાઈ સોલંકી તેમજ સ્ટાફ સાથે તિરંગા વિતરણ કરવામા આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સ્વાતંત્ર્ય સેનાની, પિંગાલી વેંકૈયાની જન્મજયંતિની ઉજવણી કરવા માટે, 2 ઓગસ્ટના રોજ, પીએમ મોદીએ લોકોને 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ઘરોમાં ધ્વજ ફરકાવવાની સાથે તેમના પ્રોફાઇલ ચિત્રને ભારતીય રાષ્ટ્રધ્વજમાં બદલવાની વિનંતી કરી. સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એ હર ઘર ત્રિરંગા ઝુંબેશનો એક ભાગ છે, જે આ વર્ષે ભારતની આઝાદીના 75 વર્ષની યાદગીરીમાં ઉજવવામાં આવી રહ્યો છે.