ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે જણાવ્યું હતું કે ચક્રવાત ‘બિપરજોય’ને કારણે વ્યાપક નુકસાન થવાની આશંકા છે. તેમણે કહ્યું કે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ ચક્રવાતી વાવાઝોડાને કારણે સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. ‘બિપરજોય’ માટે બહાર પાડવામાં આવેલા તેના નવા અપડેટમાં, IMD એ ચેતવણી આપી છે, “સૌરાષ્ટ્ર, કચ્છના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણથી છ મીટર ઊંચા ભરતીના મોજા આવી શકે છે.” આવા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાની ભલામણ કરવામાં આવે છે.
IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે ચક્રવાત ‘બિપરજોય’ હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે અને ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ચક્રવાત દ્વારકાથી લગભગ 200 કિમી દૂર છે અને આશા છે કે તેની અસર કચ્છ અને દ્વારકામાં જોવા મળશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે મંગળવારે સવારે ચક્રવાત થોડું નબળું પડ્યું હતું, પરંતુ 15 જૂનની આસપાસ તે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડાની સ્થિતિમાં હશે.
તેમણે કહ્યું, ‘ચક્રવાતી વાવાઝોડાની જૂની ગતિની તુલનામાં, બિપરજોય સમય સાથે થોડું નબળું પડી ગયું છે. તેની ઝડપ 13 જૂને 150 થી 160 કિમી/કલાક અને 14 જૂને 135 થી 145 કિમી/કલાકની હતી. તેવી જ રીતે, 15 જૂને, ચક્રવાતની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાક સુધી જવાની ધારણા છે. ચક્રવાત ગુજરાતના જખૌ બંદર નજીક ત્રાટકે તેવી ધારણા છે. તે 15 જૂને બપોરના સુમારે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે. આ પહેલા 135-145 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
વિભાગે જણાવ્યું હતું કે 14મી જૂને રાજકોટ, જૂનાગઢ, જામનગર અને દ્વારકામાં ઓછો વરસાદ પડશે, પરંતુ આ વિસ્તારોમાં આટલા વરસાદને કારણે પૂર અને અન્ય પ્રકારનો ભય સર્જાઈ શકે છે. લોકોને 15 દિવસ સુધી દરિયાઈ વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જોકે, IMDએ 15 જૂને આ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. સમુદ્રના મોજા 2 થી 3 મીટર સુધી ઉછળશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. સંદેશાવ્યવહારમાં વિક્ષેપને કારણે ફ્લાઈટ અને રેલવે સેવાને અસર થશે.