બિપોરજોય વાવાઝોડાને લઈને IMDના DGનું નિવેદન, લેન્ડફોલ બાદ વાવાઝોડુ નબળું પડ્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. વાવાઝોડુ10.30-11.00 વચ્ચે લેન્ડફોલ થયું. રાહત કમિશનરે જણાવ્યું હતું કે, ‘બિપરજોય વાવાઝોડું 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જમીન સાથે અથડાયું હતું. ત્યારે તેની અસર રૂપે સમગ્ર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં થઈ હતી.’સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાના કારણે દરિયકાંઠા વિસ્તારમાં કાચા મકાનના છાપરા ઉડવા લાગ્યા હતા. પવનના કારણે ધૂળની ડમરી ઉડતા વિઝિબિલીટી પણ ઘટી ગઈ હતી.

વાવાઝોડાની સંપૂર્ણ સ્થિતિને લઈ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. તો માંડવીમાં પણ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. ભારે પવનના કારણે વૃક્ષો ઉખડી ગયા છે, તો વીજ થાંભલા ઉખડી જવાથી ચોમેર અંધારપટ છવાયો છે.

એક આંકડા મુજબ કચ્છમાં 940 ગામોમાં વીજપોલ પડ્યા, તો 524 વૃક્ષો ધરાશાયી થયા હતા. જો કે માનવ મૃત્યુની ઘટના હજુ સામે આવી નથી. ઘાયલ લોકોની સંખ્યા 22 છે તો પશુ મૃત્યુનો આંક 23 છે, મહત્વનું છે કે પાકિસ્તાન થઈને દક્ષિણ રાજસ્થાન તરફ ચક્રવાત આગળ વધશે.

આ પણ વાંચો

જય હો ગુજરાત! સાઈક્લોન વોર્નિંગ સિસ્ટમ, શેલ્ટર હોમ… ચક્રવાતના વિનાશથી લોકોને બચાવવા માટેનું મહાન અભિયાન

મહા વાવાઝોડું ગુજરાતની ધરતીને ટકરાઈ ગયું, આ રીતે ધીરે ધીરે વિનાશ વેરાશે, આવું હશે તબાહીનું દ્રશ્ય, જાણો બધુ જ

હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું


Share this Article