Ahmedabad News: અમદાવદના મણિનગરમાંથી એક મોટી ઘટના સામે આવી છે. મણિનગરમાં આવેલ ICICI બેન્ક પાસે એક બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ, માહિતી છે કે આ દુર્ઘટનામાં 5 મજૂરો દટાયા હતા જે પૈકી 4 ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી ચૂક્યા છે.
આ ઘટના બેંક પાસે બેઝમેન્ટ ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન ઘટી હતી. શ્રમિકો બેઝમેન્ટમાં માટી ભરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન ભેખડ ધસી પડી, ફાયર બ્રિગેડની ટીમે તુરંત સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધી ત્રણ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરાયું છે.
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી ICICI બેન્ક પાસે શ્રીજી એલિગન્સની કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામની કામગીરી ચાલી રહી છે. જો કે, બુધવારે સવારે આ સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.
શું હાઈ બીપી અને યુરિક એસિડથી કોઈ બિમાર થાય છે? આ રોગ તમને કરશે બ્રેક, પણ આ ભોજન કરશો તો થશે ફાયદો…
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી ICICI બેન્ક પાસે શ્રીજી એલિગન્સની કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામની કામગીરી ચાલી રહી છે. જો કે, બુધવારે સવારે આ સાઈટ પર ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.