ગુજરાતના વાતાવરણમાં પલટો, દ્વારકા, ગીરસોમનાથ, જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોની ચિંતા વધી

Lok Patrika
By Lok Patrika
Share this Article

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, જ્યારે જૂનાગઢમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. આ સાથે માળીયાહાટી તાલુકાના ગડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. જૂનાગઢની સાથે દ્વારકા અને ગીરસોમનાથમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયુ છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં પાક બગડવાની ભીતિ છવાઇ રહી છે.

જૂનાગઢમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થતા વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. આ સાથે માળીયાહાટી તાલુકાના ગડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા છે. જેના કારણે ખેડૂતોમાં પાક બગડવાની ભીતી છવાઇ છે. આ વિસ્તારના કેરી, તલ, મગ, અડદ તેમજ ડુંગળીના પાકને નુકસાન થવાની શક્યતા વધી છે. ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન થઇ શકે છે. કેસર કેરી પકાવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદ પડે તો ભારે નુકશાન થવાની ભીતી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે.

આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવા આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, આગામી ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને સુરત તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની આગાહી છે. તેમ જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે.

વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૫.૩ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી વધુ નોંધાયો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly