Gujarat Weather: જાન્યુઆરીમાં પતંગ રસિયાઓનો મનગમતો તહેવાર ઉત્તરાયણ આવી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેની પતંગ રસિયાઓ ખુબ રાહ જોતા હોય છે. પરંતુ આ વખતે વાદળછાયું વાતાવરણ પતંગ રસિયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.
ઉત્તરાયણના દિવસે વાતાવરણ વાદળછાયું રહેશે. આ સાથે વરસાદની શક્યતા નહિવત્ હોવાથી પતંગ રસિયાઓમાં ચિંતા વધી છે. પરંતુ સાથે ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ નવા વર્ષના પ્રારંભએ હવામાનમાં પલટો આવવાની આગાહી કરી હતી. જોકે હવે નવા વર્ષના બીજા સપ્તાહે કમોસમી વરસાદની સંભાવના પણ અંબાલાલે વ્યક્ત કરી છે.
ઉત્તરાયણના દિવસે વાતાવરણ કેવું રહેશે?
ગુજરાતમાં સામાન્ય રીતે પતંગ રસિયાઓને ચિંતા સતાવતી હોય છે કે, ઉત્તરાયણના દિવસે પવન સાનુકૂળ રહેશે કે નહી અને જો પવન પડી જાય તો પતંગ રસિયાઓ નિરાશ થઇ જતાં હોય છે. જોકે આ વખતે ઉત્તરાયણમાં પતંગ રસિયાઓના રંગમાં ભંગ પાડવા માટે હવામાન વિલન બનવાનું છે. જોકે હવે નવા વર્ષના બીજા સપ્તાહે કમોસમી વરસાદની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે.
Ayodhya: PM મોદી અચાનક એક ગરીબ પરિવારના ઘરે પહોંચ્યા, જાણો કોણ છે આ મહિલા?
“દૈવિયો ઔર સજ્જનો”… KBC 15 થયો સમાપ્ત, રોવા લાગ્યાં બીગ B…આંસુ ભરેલી આંખો સાથે કહ્યું આ!!
અત્રે મહત્વનું છે કે, પતંગ રસિયાઓ જે ઉત્તરાયણને લઇ પતંગ અને દોરામાં ધૂમ ખર્ચો કરતા હોય છે પરંતુ ઉત્તરાયણના દિવસે વાદળછાયા વાતાવરણની આગાહીને પગલે પતંગ ચગાવાની મજા માણવા કરતા પતંગ રસિયાઓએ ધાબે પતંગ ચગાવ્યા વગર જ સંતોષ માનવો ન પડે.