ગુજરાતમાં આ દિવસોમાં ચૂંટણીનો માહોલ છે. આવા વાતાવરણમાં નેતાઓના નિવેદનોનો દોર તેજ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતાનું એક નિવેદન હવે ચર્ચાનો વિષય બની રહ્યું છે. સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવારે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘જો દેશને બચાવી શકાય છે, તો તે માત્ર મુસ્લિમો જ કરી શકે છે.’ કોંગ્રેસના ઉમેદવાર ચંદન ઠાકોરે ચૂંટણી પ્રચાર દરમિયાન આ નિવેદન આપ્યું હતું, જે હવે જોર પકડે છે.
જોકે, આ વિવાદીત નિવેદન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આકરાં પ્રહારો કર્યા છે અને સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. પટેલે ચંદનજી ઠાકોરનો આ વીડિયો પોસ્ટ કરીને લખ્યુ છે કે, શરમજનક શબ્દો. હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેમને હારથી કોઈ નહીં બચાવી શકે. ત્યારે હવે પટેલની આ વાત પણ ઘણી વાયરલ થઈ રહી છે.
Shameful words!
Fearing defeat, Congress yet again resorts to minority appeasement.
But Congress should know that no one will be able to save Congress Party from defeat! pic.twitter.com/cr6cL4QFYA
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 19, 2022
કોંગ્રેસ નેતાની વાત કરીએ તો તેમણે કહ્યું કે અમે તેમને નવીનતા લાવવા માટે મત આપ્યા હતા, પરંતુ તેમણે મત લઈને છેતરપિંડી કરી છે. તમે એક સાથે છેતરપિંડી કરી હોય તો ઠીક, પણ તેઓએ આખા દેશને ખાડામાં નાખી દીધો છે. તેમણે વધુમાં કહ્યું કે દેશને કોઈ બચાવી શકે છે તો માત્ર મુસ્લિમ સમાજ જ બચાવી શકે છે અને જો કોઈ કોંગ્રેસ પક્ષને બચાવી શકે છે તો તે મુસ્લિમ પક્ષ જ છે. માત્ર એક જ ઉદાહરણ આપું તો NRCના મુદ્દે મારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મારા રસ્તામાં આવ્યા.
આગળ વાત કરતા તેણે કહ્યુ કે 18 પ્રકારના પક્ષો હતા, પરંતુ એક પણ પક્ષે મુસ્લિમ સમાજ માટે દલીલ કરી ન હતી. મુસ્લિમ સમુદાયની તરફેણ કરી નથી. આખા દેશમાં આ એક જ પક્ષ છે જે તમારા માર્ગ પર ચાલે છે, તમારું રક્ષણ કરે છે, તમારા સમાજની રક્ષા કરે છે. આ ભારતીય જનતા પાર્ટી તમને પરેશાન કરવાનું કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીએ ટ્રિપલ તલાક હટાવી દીધો. કોંગ્રેસની સરકારમાં સમિતિને હજ જવા માટે પૈસા અને સબસિડી મળતી હતી. પરંતુ ભાજપે હજ સબસિડી પણ રદ્દ કરી દીધી.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જ્યાં એક તરફ ભાજપ સત્તામાં પાછા ફરવા માંગે છે, તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતીને ભાજપને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતાનું આ નિવેદન પાર્ટીને ભારે પડી શકે છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે.