આખું અમદાવાદ આવે શોકમગ્ન છે. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાં અમદાવાદનો જવાન શહીદ થયો છે અને આજે એમની શહીદયાત્રા છે. હવાઈ માર્ગથી શહીદ જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો છે.
પરિવારજનોની આંખોમાંથી આંસુઓ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમના ઘરે પહોંચ્યા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આ શહીદ વીર જવાનના સદાશિવ સોસાયટી વિરાટનગર રોડ, ઓઢવ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા છે જ્યાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મહિપાલ સિંહને વિરાંજલી આપી છે સાથે તેમના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી છે.
આ સાથે જ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ મુખ્યમંત્રી સાથે જોડાયા છે. શ્રીનગરમાં શહીદ મહિપાલસિંહ વાળાને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે તેમજ હવાઈ માર્ગથી શહીદ જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને લવાયો છે.
જ્યાં મુખ્યમંત્રી સહિત ભાજપના ધારાસભ્ય અમિત શાહ, જગદીશ પંચાલ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. છેલ્લા 8 વર્ષથી મહિપાલસિંહ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા.