ફરી એક વાર વડોદરા પોલીસનો વિવાદ સામે આવ્યો છે. જે બાદ પોલીસ કમિશનર દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરે વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. બુટલેગરને છાવરવાના આરોપસર આ પાંચેય પોલીસકર્મીઓ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨ છજીૈં અને ૩ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યા છે. બુટલેગરને છાવરવાના આરોપસર ગુપ્ત તપાસ હાથ ધરાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
મહત્વનું છે કે, અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશનના ત્રણ પીએસઆઈ અને ૮૭ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વડોદરા પોલીસ કમિશનરે આકરૂ વલણ દાખવીને પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચેય પોલીસકર્મીઓને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે, બુટલેગરને છાવરવાના આરોપસર ગુપ્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ પાંચેય પોલીસકર્મીઓ દોષિત જણાતા પોલીસ કમિશનરે આ મહત્વનો ર્નિણય લીધો હતો.
જેમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૨ અને ૩ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના રિપોર્ટસ સામે આવ્યા છે. આ પાંચેય પોલીસકર્મીઓ પર બુટલેગરને છાવરવાનો આરોપ છે.
મહત્વનું છે કે, આ પહેલાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના ૩અને ૮૭ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. ત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વાત ફેલાતા અન્ય પોલીસકર્મીઓમાં પણ ફફડાટ ફેયાલો છે. જાે કે, પોલીસ કમિશનરે આ મામલે ગુપ્ત તપાસ હાથ ધર્યા બાદ આ ર્નિણય લીધો હતો. જાે કે, આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પોલીસકર્મીઓ સાથે અન્ય કોઈ કર્મચારીઓનો હાથ હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.