CR પાટીલનુ એક નિવેદન હાલમા ચર્ચાનો વિષય બન્યો છે. CR પાટીલે માધવપુર ખાતેના મેળામાં કૃષ્ણ અને રુકમણીના વિવાહ અંગે વાત કરતા સમતે રુકમણીને બદલે સુભદ્રાનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ આ નિવેદનનો આહીર સમાજ અને અન્ય લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે આ બાદ પાટીલે વીડિયો મેસેજ મારફતે જાહેર માફી પણ માગી લીધી હતી.
CR પાટીલે આ વીડિયોમાં માફી માંગતા કહ્યું હતું કે કાર્યક્રમમાં સરતચૂકથી એક નામ લેવામાં મારી ભૂલ થઈ હતી. જો કે મે ચાલુ વક્તવ્ય દરમિયાન તેને સુધારી લીધી હતી. હવે કેટલાક યુવાનોએ આ અંગે મને માફી માગવા આગ્રહ કર્યો છે અને મેં ફોન પર તેમની માફી પણ માગી હતી. આ બાદ કેટલાક યુવાનોએ મને દ્વારકા આવવાનો આગ્રહ કર્યો હતો, જે અંગે પણ મેં હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
આગળ વાત કરતા વીડિયોમા CR પાટીલે કહ્યુ કે વક્તવ્યમાં મેં ભગવાન કૃષ્ણ કે કોઈ પણ વ્યક્તિ, ધર્મ કે જાતિ પર કોઈ પણ ટીકા-ટીપ્પણી કરી ન હતી, પરંતુ નામ લેવામાં ભૂલ થઈ હતી જે ભૂલ મે સ્વીકારી હતી.