બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક જિલ્લામાં છવાયો અંધારપટ, વીજપોલ ધરાશાયી થયા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. મનગર, દ્વારકા, કચ્છ તેમજ પોરબંદર સહિતના જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે વીજ પોલ ધરાશાયી થયા છે.જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે.

જામનગર વિસ્તારમાં વીજ પોલને નુકશાન

જામનગર શહેરમાં દિવસ દરમિયાન 55 નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા છે. બિપરજોય વાવાઝોડાથી જામનગર પીજીવીસીએલને અંદાજે 180 લાખનું નુકશાન થયું છે. જામનગર જિલ્લામાં 246 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 400થી વધુફીડર બંધ થયા છે.

અરવલ્લી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો

ઉત્તર ગુજરાતમા બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. સમગ્ર પંથકમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફુંકાયો છે. જેના કારણે સમગ્ર પંથકમાં વીજળી ગુલ
થઈ છે.

પોરબંદરમાં વીજપુરવઠો બંધ

પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર વર્તાઈ છે. ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ થયો છે. દરિયામાં ભારે કરંટ હોવાથી ચોપાટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

આ પણ વાંચો

જય હો ગુજરાત! સાઈક્લોન વોર્નિંગ સિસ્ટમ, શેલ્ટર હોમ… ચક્રવાતના વિનાશથી લોકોને બચાવવા માટેનું મહાન અભિયાન

મહા વાવાઝોડું ગુજરાતની ધરતીને ટકરાઈ ગયું, આ રીતે ધીરે ધીરે વિનાશ વેરાશે, આવું હશે તબાહીનું દ્રશ્ય, જાણો બધુ જ

હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું

મોરબી જિલ્લામાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ

મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે. હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. નવલખીના કાંઠા વિસ્તારના 100 સહિત 300 વીજપોલ ધરાશાયી છે. 45માંથી 9 જેટલા ગામમાં વીજ પુરવઠો પૂર્વવત પણ કરાયો છે.


Share this Article