ગુજરાતમાં ચામડી બાળી નાખે એવી ગરમી પડી રહી છે એનો પાક્કો પુરાવો, આ વર્ષે AC અને કુલરનું ધૂમ વેચાણ થયું

Lok Patrika
By Lok Patrika
Share this Article

કાળઝાળ ગરમીના લીધે લોકો પરેસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ જેવા શહેરોમાં આકરી ગરમી સહન કરવી પડી રહી છે. આવામાં કૂલર અને એરકન્ડિશનરની માંગમાં વધારો થઈ રહ્યો છે. પહેલા આ વસ્તુઓને લક્ઝરી મનાતી હતી એટલે કે આર્થિક રીતે સદ્ધર પરિવારો દ્વારા જ તેનો ઉપયોગ કરાતો હતો, જાેકે હવે આકરી ગરમી સામે રક્ષણ મેળવવા માટે પણ તે વસાવવું જરુરી બનતું જઈ રહ્યું છે.

આકરી ગરમી વધી રહી છે અને મોંઘવારી પણ વધી છે છતાં લોકો એસી અને કૂલરની ખરીદી કરી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક ડિલર અને હોમ એપલાયન્સિસના મેન્યુફ્રેક્ચરર્સ જણાવે છે કે, આ વર્ષે એર કન્ડિશનર અને કૂલની માંગમાં ૨૦%નો ઉછાળો આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૨માં એસી અને કૂલરના વેચાણના જૂના રેકોર્ડ તૂટી જશે તેમ માનવામાં આવી રહ્યું છે. ૨૦૧૯થી લગભગ ૨૦% જેટલો માંગમાં ઉછાળો નોંધાય છે.

કૂલ બનાવતી કંપનીના ડિરેક્ટર નૃપેશ શાહ કહે છે કે, શરુઆતના ટ્રેન્ડ પોઝિટિવ છે, અને કોરોના મહામારીના લીધે થયેલું નુકસાન સરભર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ૨૦૧૯માં લગભગ ૨ લાખ એર કૂલરની માંગ થઈ હતી અને અમારું માનવું છે કે આ વર્ષે તેમાં ૨૦%નો વધારો નોંધાશે. લોકડાઉન અને લોકોની અવરજવર પર પ્રતિબંધ લાગી જવાના કારણે રિટેલ ધંધા પર તેની અસર પડી હતી.

કન્ઝ્‌યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડના સ્થાનિક અધ્યક્ષ નિખિલ સુતરિયા જણાવે છે કે, “ભારતમાં એર કન્ડિશનર દર પાંચ વર્ષે એર કન્ડિશનરના વેચાણમાં બમણો વધારો થાય છે. વર્ષ ૨૦૧૯માં લગભગ ૫ લાખ યુનિટ ગુજરાતભરમાં વેચાયા હતા, પાછલા બે વર્ષથી કોરોનાના કારણે ધંધા પર અસર પડી છે. જાેકે, વર્ષ ૨૦૨૨માં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં માંગમાં ૩૦%નો વધારો થયો છે, જેના પરથી મનાય છે કે ૨૦૧૯માં જે વેચાણ થયું તેના કરતા ૨૦૨૨માં સારું વેચાણ થશે.

ગુજરાતમાં ચાલુ વર્ષમાં ૫ લાખ એસી વેચાય તેવી શક્યતા છે જેમાંથી ૨.૪ લાખ લગભગ વેચાઈ ગયા છે.” આ વેપાર સાથે સંકળાયેલા લોકોએ જાેયું કે ભાવમાં વધારાની અસર દેખાઈ રહી નથી. અમદાવાદ ઈલેક્ટ્રોનિક્સ ડિલર્સ એસોસિએશનના અધ્યક્ષ જણાવે છે કે, ભાવમાં ૨૦%નો વધારો થયો છે તેમ છતાં માંગમાં ઉછાળો આવ્યો છે.

માર્ચ મહિનામાં જબરજસ્ત માંગ જાેવા મળી હતી, આ પરથી માનવામાં આવે છે કે અમદાવાદમાં આ વર્ષે પહેલીવાર ૧ લાખ જેટલા એસી યુનિટ્‌સ વેચાશે. અમદાવાદમાં ૭૦,૦૦૦ જેટલા એર કન્ડિશનર વેચાઈ ગયા છે, આર્થિક સુધારો આવતા અગાઉના ઉનાળા કરતા માંગમાં ઉછાળો થયાનું દેખાઈ રહ્યું છે. વર્ષો વિતિ રહ્યા છે તેમ ઈન્વર્ટર એસીનું માર્કેટ ઊંચું જઈ રહ્યું છે, જે આ વર્ષે પણ જાેવા મળી રહ્યું છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly