કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે છેલ્લા થોડા સમયથી વાક યુદ્ધ ચાલી રહ્યુ છે. હવે સમાચાર આવ્યા છે કે ધર્મ સ્થાનક બન્ને વચ્ચે સમાધાન કરાવી શકે છે. બન્ને વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ ‘મર્દાનગી અને માયકાંગલા’ મુદ્દે વિવાદ થયો અને તેનો વીડિયો પણ વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ લોક ડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ માફીની વાત કરી હતી અને જે બાદ દેવાયત ખવડે તેનો જવાબ આપ્યો હતો તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યા
આ વિવાદ વિશે વિગતે વાત કરીએ તો રૂપલમાં જન્માષ્ટમી પર લોકડાયરામાં બ્રિજરાજદાન ઈશરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે ‘રૂપલ આઈની સાક્ષીમાં કહું છું કે જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈશરદાનનું લોહી છું સાહેબ’. ‘એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે શું આપણે બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.’
આ બાદ શનિવારે અમદાવાદના ધોળકામા ગણપતિ મંદિરે લોકડાયરામા દેવાયત ખવડ, અલ્પા પટેલ, દીગુભા ચુડાસમા અને સાગદાન ગઢવી પહોંચ્યા હતા. આ દરમિયાન દેવાયત ખવડે બ્રિજરાજદાને કહેલી વાતનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા તો માયકાંગલાઓ હોય એને આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય’. હવે આ તમામ વિવાદનો અંત આવે તે માટે ધર્મ સ્થાનક માધ્યમ બની શકે છે.