વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં 100 પથારીની સુવિધા ધરાવતી અત્યાધુનિક ESIC હોસ્પિટલ બનશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠક બાદ અગત્યના મુદ્દે પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 બેડની નવીન ESIC હોસ્પિટલની મંજૂરી મળી છે. તેમણે વધુમાં ઉમેર્યુ છે કે, આ હોસ્પિટલ મધ્યગુજરાતના રહેવાસીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. સાવલી જી.આઇ.ડી.સી. ક્ષેત્ર અને તેની આસપાસમાં જ 1500 થી વધુ ઔધોગિક એકમો આવેલા છે. ઇ.એસ.આઇ. યોજના હેઠળી આવરી લેવાયેલ કર્મચારીઓની સંખ્યા અંદાજીત 35 થી 40 હજાર છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે,100 પથારીની આ આધુનિક હોસ્પિટલથી સાવલી તાલુકાની ઔધોગિક વસાહતોમાં વસતા શ્રમિકો ઉપરાંત કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓને તબીબી સેવાઓનો લાભ મળશે. તેઓને સ્થાનિક સ્તરે સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં તબીબી સેવા ઉપલબ્ધ બનતા તેમના પરિવારજનોને સમય અને મુસાફરીના ખર્ચમાં રાહત મળશે. વધુ વિગતોમાંજણાવ્યું છે કે, રાજ્યના ઔધોગિક ક્ષેત્રની કામગીરી સાથે જોડાયેલા મહત્વના જિલ્લાઓ પૈકીના વડોદરા જિલ્લામાં અને તેમાં પણ સાવલી તાલુકામાં એન્જિનિયરિંગ વર્ક્સ / મેટલ અને કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ / ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ / સેનિટરી વેર / ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ /આયાત-નિકાસને લગતા કામકાજ વગેરે ચલાવતા ઘણા ઉદ્યોગો, કારખાનાઓ અને ઓફિસો આવી છે. જે મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે.

સોના ચાંદીનો ભાવ સૌથી હાઈ રેકોર્ડ પર, ભાવમાં તોતિંગ વધારો થતાં લોકોની બૂમ પડી ગઈ, જાણો નવો ભાવ

ગુજરાતીઓ માટે સારા સમાચાર, આ તારીખથી માવઠું બંધ થઈ જશે, ખેડૂતો માટે સૌથી મોટી રાહત

કોણે કીધું અદાણી પાસે પૈસા નથી, ખરીદી આટલી મોંઘીદાટ નવી નકોર કાર, આપણે તો આજીવન બેઠા બેઠા ખાઈ લઈએ

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, વડોદરા જિલ્લામાં સોશ્યલ સિક્યુરિટી કોડ, 2020ના અમલીકરણ પછી કર્મચારીઓની વધતી સંખ્યાને ધ્યાને લઇ અને તેમની આરોગ્યસુખાકારીની દરકાર રાજ્ય સરકારે કરી છે.હાલમાં આ વિસ્તારના ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વધુ સારવાર માટે ગોત્રી, વડોદરા ખાતે આવેલી કર્મચારી રાજ્ય વિમા યોજનાની જનરલ હોસ્પિટલમાં જવું પડે છે. હાલોલ ખાતે હોસ્પિટલથી ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વડોદરા આવવા-જવા મુસાફરીમાં ખર્ચવામાં આવતા નાણાં અને સમયના વ્યયમાંથી રાહત મળશે તેમ ઉમેર્યુ હતુ.


Share this Article
TAGGED: , ,