Gujarat News : રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 98 ટકા વરસાદ નોંધાયો છે. જોકે ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. સપ્ટેમ્બરમાં સારો વરસાદ આવે તેવી આશા છે. જોકે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયુ અને તેના કારણે અમુક વિસ્તારમાં સારો વરસાદ થયો છે. તેમ છતાં કેટલાક વિસ્તાર કોરો રહ્યા છે. હજુ પણ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો અને ઓગષ્ટ મહિનામાં અલનીનોની અસરના કારણે વરસાદ થયો નહી. આ સાથે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ હતી, પરંતુ ગુજરાત સુધી ન આવી જેના કારણે ઓગષ્ટ મહિનો કોરો નિકળી ગયો.
આ સાથે તેમણે અનુમાન લગાવતા જણાવ્યુ કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના ભારે પવન ફુકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
અંબાલાલ કાકાએ ખેડૂતો માટે જણાવ્યુ કે, પાછોતરો વરસાદ થાય તો કૃષિ પાકને નુકસાન થાય. કારણ કે નવરાત્રી પછી ચોમાસું પાક તૈયાર થઈ નિકળવાની તૈયારીઓ ચાલતી હોય છે, મગફળી લેવાઈ ન હોય તો વરસાદના કારણે ઉગી જાય છે અને પાથરા (પાકના નાના નાના ઢગલા) પડયા હોય તો જીવાત પડે છે. આ શરદ ઋતુ રોગોની ઋતુ કહેવાય છે. 26 ઓક્ટોબર પછીનો વરસાદ થાય તો કપાસને નુકસાન થાય અને રૂનો પાક પણ બગડી જાય છે.
સરકારની સૌથી મોટી જાહેરાત, ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે મોટી સહાય કરી, જાણીને દરેક ઘરમાં ખુશીનો માહોલ
ખેડૂતો માટે ખાસ જણાવતા કહ્યુ કે, વતાવરણની અસર કૃષિ પાક પર થતી હોય છે. વાતાવરણ સાનુકુળ ન હોય ત્યારે કૃષિ પાકમાં જીવાત પડતી હોય છે. કપાસ પાકમાં વરસાદના કારણે ફુલ ભમરી ખરી જાય. મકાઈ બાજરી પાકમાં પરાગરજ ધોવાઈ જવાના કારણે ડોડોમાં દાણા ન ભરાય. શાકભાજીના પાકમાં કહોવારો લાગે. ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્વવ વધે. ડાંગરના પાકમાં મુંડાઆવે અને મગફળી પાકમાં ટીક્કાનો રોગ આવે તેમજ જીવાણુ થતા સુકારાનો રોગ આવે. જો કે શરદ ઋતુ રોગોની ઋતુ કહેવાય છે. કૃષિ પાક સાથે જન સમુદાયે અને પશુઓના સ્વાસ્થયની કાળજી રાખવી જોઈએ.