પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇક્કોનો ભુક્કો બોલાઈ ગયો હોવાથી ઇક્કોમાં બેઠેલા પાલનપુરના ચાર વ્યક્તિઓના કરુણ મોત થયા હતાં.
અમીરગઢ તાલુકાના ચેખલા ગામ નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
અમીરગઢ તાલુકાના ફોરલેન હાઇવે પર આવેલા ચેખલાં ગામ નજીક મોડી રાત્રે ટ્રક અને ઈક્કો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકકો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે ઈકકોમાં સવાર બે વ્યક્તિઓના સ્થળ પર મોત થયા હતા જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
લાંબી દાઢી, લાંબા વાળ અને સાધુનો પોશાક… ગુજરાતના વોન્ટેડ ગુનેગારની 23 વર્ષ બાદ મથુરામાંથી ધરપકડ
જુનાગઢમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી, તારાજીનો નજારો જોઈને ચોંકી જશો, ગામોના ગામો ડૂબ્યા
બનાવની જાણ થતા પોલીસ તેમજ એક એન્ડ ટી ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયું હતું. અમીરગઢ તાલુકામાં ગત રોજ જુદા જુદા બે અકસ્માત માં કુલ 5 વ્યક્તિઓ ના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.