Gujarat News : વડોદરા શહેરમાં એક આઘાતજનક ઘટના બની છે. વડોદરાના સાવલી જિલ્લા તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલી પાઠશાળા નામની હોસ્ટેલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું એક કાર્યક્રમ વખતે વીજ કરંટ લાગવાથી મોત થયું છે. 15 વર્ષની ખુશી તીરધરના મોતને કારણે શાળા અને પરિવાર બંનેમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક રિપોર્ટમાં વિદ્યાર્થિનીનું વીજ કરંટથી મોત થયાનું સામે આવ્યુ છે. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલ પાઠશાલા નામની હોસ્ટેલમાં ધો.10માં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થિનીનું વીજ કરંટથી મોત થતાં ચારેબાજુ ચકચાર મચી ગઈ છે. મૂળ રાજસ્થાનના બાંસવાડાની અને પાઠશાલા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 15 વર્ષની ખુશી રાજુભાઈ તીરઘરને વીજ કરંટ લાગતા મોત થયાનું કહેવાઇ રહ્યુ છે.
આ ઘટનાની જાણ થતા જ મંજુસર પોલીસ ઘટના સ્થળે આવી ગઇ હતી. ખુશીના મૃતદેહને સાવલીની જન્મોત્રી હોસ્પિટલમાં પોસ્મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મંજુસર પોલીસે આ મામલે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે લસુન્દ્રા સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકે જણાવ્યું હતું કે, રવિવાર હોવાથી બાળકો બહાર રમી રહ્યા હતા અને કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી
ખુશી પણ અન્ય વિદ્યાર્થિનીઓ સાથે હતી. હું ઓફિસમાં હતી. આ દરમિયાન એક બાળકીએ આવીને કહ્યું હતું કે, ખુશીને કંઇક થયુ છે. જેથી અમે તેને તરત જ હોસ્પિટલમાં લઇ ગયા હતા. રસ્તામાં તેનો શ્વાસ ચાલુ જ હતા પરંતુ હોસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કરી દીધી. મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થીઓ જ્યાં રમી રહ્યા હતા ત્યાં વાયરમાં ક્રેક હતી અને પાણી પણ ભરાયુ હતુ. આ અંગે તંત્રને પૂછતા તેમણે જવાબ આપ્યો હતો કે, તપાસ ચાલી રહી છે. ત્યાં પાણી ભરાયેલુ હતુ. આ ઘટના કઇ રીતે બની તે અંગે તપાસ ચાલી રહી છે.