Gujarat News: ગુજરાત સરકાર દ્વારા આવાસ ધારકોનાં હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેના કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસ ધારકોને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા મળી ગઈ છે. મુખ્યમંત્રીનાં આ નિર્ણયને કારણે જૂના અને જર્જરીત મકાનોનાં રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા ઝડપી થવાને કારણે ઈઝ ઓફ લિવિંગ વધશે એવી શક્યતા સેવવામાં આવી રહી છે.
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર, હાઉસિંગ કમિશ્નર સંદીપ વસાવા તેમજ સચિવ આર.જી. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત આપવા અંગે વાતો થઈ હતી.
હવે નિર્ણય લઈને ગુજરાત સરકારે હાઉસિંગ બોર્ડ દ્વારા વસુલવામાં ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં મકાન ધારકોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મકાન માલીકોએ ટ્રાન્સફર ફી વન ટાઈમ કરી છે. હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં ટ્રાન્સફર ફીના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીનાં આધારે લેવાતી દરેક ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે.
જાણી લેજો: 1 માર્ચથી ફાસ્ટેગથી GST સુધીના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓ જેમાં ભાડા ખરીદ સમય પૂરો થયો હોય કે મકાનની 100 ટકાની રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂ. 1 હજારની જગ્યાએ વન ટાઈમ વસૂલાત EWS માટે રૂ. 2 હજાર, LIG માટે રૂ. 4 હજાર, MIG માટે રૂ. 6 હજાર અને HIG માટે રૂ. 10 હજાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.