ગુજરાતમા વિધાનસભા ચૂંટણી આવે તે પહેલા જ રાજકારણમા ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. એક તરફ આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે તો બીજી તરફ કોંગ્રેસમાંથી ઘણા દિગ્ગજો પાર્ટી છોડીને અન્ય પક્ષમાં જઇ રહ્યાં છે. આ વચ્ચે આજે સમાચાર આવ્યા છે કે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ પણ રાજીનામું આપી દીધું છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.
મળતી માહિતી મુજબ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને વિશ્વનાથ વાઘેલા વચ્ચે કઈક મતભેદ ચાલી રહ્યો હતો. હવે રાજૂનામુ આપતા વિશ્વનાથસિંહ વાઘેલાએ ઘણા આક્ષેપ કર્યા છે. રાજીનામા પાછળનુ કારણ જણાવતા વિશ્વનાથસિંહે કહ્યુ કે, ‘હું પ્રદેશ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના સનિયર નેતાઓના આંતરિક જુથવાદનો હું ભોગ બન્યો. મને કામ કરવામાં અડચણો ઉભી કરવામાં આવતી. કોંગ્રેસ સંગઠનને નિષ્ફળ બનાવવા કાવતરા કરાયા. કોંગ્રેસ પક્ષ ચાપલુસોથી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે.
આ સાથે વિશ્વનાથસિંહે આગળ ખ્યુ છે કે એક તરફ આજના સમયે યુવાનો કોંગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય નથી જોતા. યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે. આંતરિક જૂથવાદથી પક્ષમાં દુશ્મનો ઉભા થાય છે. દેશની સત્તા માટે જનતાએ કોંગ્રેસને ખૂબ તકો આપી. કોંગ્રેસ પોતોના જ કાર્યકરોને શંકાની નજરે જુએ છે.