કમોસમી વરસાદ રાજ્યમાં ફરી શરૂ થયો છે. ત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. માનસી ચારરસ્તા, વસ્ત્રાપુર, ભુયંગદેવ અને થલતેજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો બીજી તરફ મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.
બપોર બાદ અચાનક જ હવામાનમાં પલટો આવ્યા બાદ વાદળછાયુ વાતાવરણ સર્જયુ હતું અને સાંજે માનસી ચારરસ્તા અને થલતેજ આસપાસના વિસ્તારોમાં ચાનક વરસાદ શરૂ થયો હતો. જયારે વાસણા, પાલડી, આશ્રમરોડ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. તેમજ એસ.જી હાઈવે, સોલા, ગોતા, સરખેજમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદથી અમદાવાદીઓને ગરમીથી થોડી રાહત મળી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા હવામાનમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે જામનગર,ભાવનગર, બોટાદ, વલસાડ, તાપી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, સુરત, મદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, દાહોદ, અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે 2 મેના રોજ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,અમદાવાદમાં 3 મેના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની ઘાતક આગાહીથી આખું રાજ્ય ફફડી ગયું, 8 મેના રોજ ગુજરાતમાં આવશે ખતરનાક આંધી
અંબાલાલ પટેલે પણ મે મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે જણાવ્યું હતું કે એપ્રિલ બાદ મે મહિનામાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આજથી 5 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મે મહિનામાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે.અંબાલાલ જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવશે. તો 25 મેથી 10 જૂન વચ્ચે આરબ સાગરમાં ચક્રવાત આવશે. આ ચક્રવાતના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.