Busniess News: નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી 1 ફેબ્રુઆરી 2024ના રોજ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. ચૂંટણીનું વર્ષ છે તેથી લોકોની અપેક્ષાઓ પણ વધુ છે. નાણામંત્રી પાસે નોકરી કરતા લોકો માટે પણ તેમની અપેક્ષાઓ છે.
કરદાતાઓ અને નોકરી કરતા લોકોની અપેક્ષા કર મુક્તિ અંગે છે. પગાર વર્ગના લોકોની અપેક્ષા મુજબ નાણામંત્રી આ બજેટમાં માત્ર બે જાહેરાત કરે તો તેમના માટે મોટી રાહત થશે. ટેક્સ મુક્તિની અપેક્ષા રાખતા પગારદાર વર્ગ ઈચ્છે છે કે નાણામંત્રી બજેટમાં બે ફેરફારોની જાહેરાત કરે. આ બે ફેરફારો સાથે તેમને સારા સમાચાર મળશે.
કર મુક્તિ મર્યાદામાં વધારો
નાણાપ્રધાને વર્ષ 2023-24ના બજેટ પ્રસ્તાવમાં નવી કર વ્યવસ્થામાં ટેક્સ રિબેટમાં વધારો કર્યો છે. વર્ષ 2023 માટે બજેટની જાહેરાતમાં નવી કર વ્યવસ્થામાં મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી હતી. એટલે કે જો કોઈ કરદાતા નવી કર વ્યવસ્થા પસંદ કરે છે, તો તેણે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. હવે નોકરીયાત લોકોને આશા છે કે સરકાર બજેટમાં આ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરે. આ બજેટમાં નાણામંત્રી પાસેથી કરદાતાઓને ઘણી અપેક્ષાઓ છે.
જૂની ટેક્સ વ્યવસ્થા
નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટની જાહેરાતમાં આવકવેરાની જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂની ટેક્સ વ્યવસ્થામાં માત્ર 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર જ ટેક્સ રિબેટ મળે છે. એટલે કે જો કોઈ કરદાતા જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે અને આવકવેરાના વિવિધ વિભાગો હેઠળ કપાતનો લાભ મેળવે છે અને તેની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા સુધીની છે, તો તેણે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
માફી.. માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ માગી માફી, કહ્યું- ભારત વિના અમે આગળ વધી શકીએ એમ નથી
માલદીવને ભારતનો ગુસ્સો ભારે પડશે, EaseMyTrip એ તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કર્યા, હવે કરશે મોટું કામ
કર્મચારીઓ જૂની ટેક્સ સિસ્ટમમાં રિબેટ વધારવાની આશા રાખી રહ્યા છે. લોકોને આશા છે કે સરકાર લોકસભાની ચૂંટણી પહેલા નોકરિયાત વર્ગને મોટી રાહત આપી શકે છે, જો કે કરદાતાઓને રાહત મળે છે કે નહીં તે 1 ફેબ્રુઆરીએ જ ખબર પડશે.