બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ક્યાંક ધીમી ની ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. 2 દિવસથી વરસાદ ચાલુ જ છે. જેમાં દિયોદર પંથકમાં પણ ભારે વરસાદ ના કારણે જળબબાકાર ની સ્થતિ ઉભી થઇ છે. દિયોદર તાલુકાના સોની ગામ બેટમાં ફેરવાયું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે. સતત ધોધમાર વરસાદને લઈ વરસાદી પાણી ગામમાં ફરી વળ્યાં છે. જેમાં ભારે વરસાદ ના કારણે ઘરોમાં પણ પાણી ફરી વળતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે જિલ્લાના આ વિસ્તારમાં આકાશમાંથી પથ્થર જેવો પદાર્થ પડતા લોકો અચંબામાં મુકાઈ ગયા છે. દિયોદર તાલુકાના રાટીલા ગામમાં ઉલ્કા પડ્યા હોવાના સમાચાર મળતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો.
હાલમાં માહોલ એવો છે કે ક્યાંક ખેતરો પણ બેટમાં ફેરવાયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં સોની થી ભીલડી તરફ જતો માર્ગ અને સોની થી જસાલી ખીમણા તરફ જતો માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનો અટવાયા છે જેમાં સતત વરસાદ ને લઈ તંત્ર એ એલર્ટ જાહેર કર્યું છે જેમાં સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં માં છેલ્લા બે દિવસથી મેઘમહેર છે. બનાસકાંઠા જિલ્લામાં માં વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના દિયોદર તાલુકાના રાટીલા ગામમાં ઉલ્કા પડ્યા હોવાના સમાચાર મળતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા દિયોદર તાલુકામાં જોનારાનું કહેવું એવું છે કે થોડી વાર પહેલા જોરદાર ધડાકો થયો અને થોડી વાર પછી રોડ ઉપરના કિ.મી. દર્શાવતા પથ્થર જેવડો પદાર્થ તેમના ઘર ઉપરથી પસાર થયો અને લીમડાની ડાળીને ભટકાયો. ત્યાં જોયું તો કંઈ ન મળ્યું પણ પછી ખબર પડી કે આ ખાડા એના તૂટવાથી પડ્યા છે. પથ્થરના એ ટુકડા નાઈટ્રોજન જેવા એકદમ શીતળ હતા એવું પણ લાઈન જોનારાનું કહેવું છે.
સાથે જ દિયોદર પંથકની વાત કરીએ તો ભારે વરસાદ ને લઈ સતત પાણી જ પાણી થતા સ્થતિ ગંભીર બની છે જેમાં જસાલી પાસે સુજલામ સુફલામ કેનાલ માં સતત પાણીનો પ્રવાહ વધતા કેનાલ તરફ ન જવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે તો બીજી તરફ દામાં થી ડીસા મેઈન હાઇવે પર વરસાદી પાણી ભરાતા વાહનો અટવાયા છે.