ભવર મીણા (પાલનપુર): ઉનાળા નો પ્રારંભ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા માં જળ તેમજ ઘાસચારા ને લઈ લોકો ચિંતિત બન્યા છે.જિલ્લા ના મોટા અને નાના તમામ જળાશયો ના ચોમાસુ નબળું રહેતા તળ દેખાઈ આવ્યા છે તો બીજી બાજુ પ્રજા ના પ્રતિનિધી ઓ સરકાર પાસે જળ અને ઘાસચારા ની સગવડ માટે ની માંગણી કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે ચોમાસુ નબળું રહેતા જળાશયો સહિત નદી નાળાઓ માં જળ પ્રવાહ ચાલ્યો ન હોવાથી પાણી ના તળ ટૂંકાઇ ગયા છે.જ્યારે નાના મોટા તમામ જળાશયો માં નહીવત પાણી હોવાથી લોકો ઉનાળા માં જળ સંકટ ને લઈ ચિંતિત બની છે.
જિલ્લા માં આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકા ની વાત કરવા માં આવે તો લઘુ સિંચાઈ યોજના તળે ના 13 જેટલા જળાશયો આવેલા છે જે તમામ જળાશયો ના તળ ઉનાળા ના પ્રારંભ સાથે દેખાઈ આવતા તેમજ કુવા,બોર સમ્પ ના તળ ઊંડે જતા રહ્યા હોવાથી ધરતીપુત્રો ની ચિંતા માં વધારો થયો છે.
ધરતીપુત્રો તેમજ પશુપાલકો જણાવી રહ્યા છે કે,તાલુકા માં પાણી સાથે ઘાસચારા ની પણ ઉનાળા ના પ્રારંભ સાથે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે જોકે ઘાસચારા માટે તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા સરકાર ને રજુઆત કરવા માં આવી છે.