શ્રવણ પરમાર, થરાદ: લાખણી તાલુકાના જસરા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વએ પાંચ દિવસીય ૧૧મો અશ્વ અને આનંદમેળાનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં વિવિધ રાજ્યોમાંથી અશ્વો લઈને મોટી સંખ્યામાં અશ્વ સ્પર્ધામાં જોડાય હતા. લાખણી તાલુકાના જસરા ગામમાં ગામના મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેએ અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટના માધ્યમથી આ અશ્વ મેળાની શરૃઆત કરી હતી.દર વર્ષે મહાશિવરાત્રીના સમયે આ મેળો ભરાય હતો .
આ વર્ષે પણ પાંચ દિવસીય અશ્વ અને આનંદ મેળો જસરાના મેદાનમાં ભરાયો હતો. ગત તારીખ ૨૫, ૨૬, ૨૭, ૨૮ અને ૧ એમ પાંચ દિવસનો આ મેળો ભરાયો હતો જેમાં પાંચેય દિવસ અશ્વોની અલગ અલગ હરિફાઈઓ યોજાવામાં હતી સાથે સાથે પોલીસ દળના ઘોડાઓ તેમજ વિવિધ કલબના જાતવાન ઘોડાઓ પણ આ અશ્વ મેળામાં ભાગ લઈને વિવિધ કરતબો કરી હતી.
આ અશ્વ મેળામાં ગુજરાત, રાજસ્થાન, કાઠિયાવાડ સહિત વિવિધ પ્રદેશમાંથી અશ્વ માલિકો પોતાના અશ્વો લઈને આવ્યા હતા આ અશ્વ મેળામાં અશ્વોની લે-વેચ પણ કરવામાં આવી હતી. મેળા સમિતિ દ્વારા ટ્રોફી પ્રમાણપત્ર વગેરે આપીને અશ્વ અને તેના માલિકને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આનંદમેળામાં ચકડોળ, મોતનો કુવો, ટોરા ટોરા, બ્રેક ડાન્સ, રેલગાડી, હોડી, અને જાદુગર શો સહિત તમામ મનોરંજનના સાધનો બાળકો એ મોજ માણી હતી. આમ જસરામાં યોજાનાર ૧૧ મા અશ્વ અને આનંદ મેળાને લઈને અશ્વ પ્રેમીઓ અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી