એત તરફ અયોધ્યામાં રામ મંદિર બનવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે બીજી બાજુ રામનવમીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે. અલગ અલગ શહેર-ગામોમાં ઉજવણી કરવામાં આવશે. એ જ અરસામાં ભાણવડ તાલુકાના ગડુ ગામમાં પણ એકદમ હટકે ઉજવણી થશે. નથરાજ ગૃપ ગડુ દ્વારા નિ:સ્વાર્થ ભાગે ગડુ ગામમાં ઘરે-ઘરે લાડુનુ વિતરણ કરવામાં આવશે. ઉજવણીના ભાગ રૂપે આખું ગામ દર વખતની જેમ આ વખતે પણ રામ ભક્તિમાં તરબોળ થશે.
ગડુ ગામની એક ખાસ વિશેષતા એવી પણ છે કે દર રામનવીમાં દિવસે વર્ષોથી અલગ ઉજવણી થતી આવી છે. રામાયણના અલગ અલગ ચરિત્રો પર વેશભુષા ધારણ કરીને ગામના યુવાનો આખા ગામમાં સામૈયા કરે છે. સાથે જ બાળકો માટે બટુક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. કેટલાય વર્ષોથી એવી અનોખી ઉજવણી થતી આવી છે પરંતુ કોરોના પછી આ ઉજવણી હાલમાં બંધ છે.
ગડુ ગામના ચોકમાં એક રામ મંદિર પણ આવેલું છે. પેઢીઓ દર પેઢીઓ આ મંદિરની સાક્ષી રહી છે. તો વળી છેલ્લા 25 વર્ષથી આ મંદિરે દર શનિવારે રામધૂન પણ બોલવામાં આવે છે. ગામના યુવાનો-વડીલો દર શનિવારે ભગવાનના ભક્તિમાં લીન થાય છે.