આગામી 4 અને 5 માચૅ દરમિયાન કોલકાતાના પ્રગતિ સિંઘ ગ્રાઉન્ડ પર વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પુરા ભારત ભરના બેસ્ટ વ્હીલચેર ક્રિકેટરો નુ સિલેક્શન થયું છે.
આ ટુર્નામેન્ટનું આયોજન વિલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટમાં બે ટીમો ભાગ લેઈ રહી છે. અને આ બંને ટીમો નું સિલેક્શન નેશનલ ટુર્નામેન્ટના પરફોર્મન્સના આધારે કરવામાં આવ્યું છે.
જેવી રીતે ઈન્ડિયા એ અને ઇન્ડિયા બી ટીમો રમતી હોય છે તેવી જ રીતે આ ટુર્નામેન્ટમાં એક ટીમ નું નામ ઇંડિયન ગ્લેડીયેટર્સ તેમજ બીજી ટીમ નું નામ ઇન્ડિયન ફાઇટર્સ રાખવામાં આવ્યું છે. જેમાં ઇન્ડિયન ગ્લેડીયેટર્સ ટીમ ની કેપ્ટનશીપ ગુજરાતના કેપ્ટન ભીમા ખૂટીના હાથોમાં શોપવામાં આવી છે.
ભીમાભાઈ સાથે અમારી વાત થઈ ત્યારે ભીમાએ જણાવ્યું હતું કે હું આભાર માનુ છું વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન નો કે જેમણે મારા ઉપર ભરોષો જતાવીને આટલી મોટી જવાબદારી મને સોપી છે. વધુમાં ભીમાએ જણાવ્યું હતું કે આજે હું બહુ જ ખુશ છું કે મને ઇન્ડિયાના ટોપ વ્હીલચેર ક્રિકેટરોની ટીમની કેપ્ટનશીપ કરવા મળશે અને સાથે આ ટુર્નામેન્ટ માંથી મને પણ ઘણું બધું શીખવા મળશે.
આ ટુર્નામેન્ટ ના મુખ્ય મહેમાન 2007ની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના બેસ્ટ બોલર આર.પી.સિંહ અને ઇન્ડિયા ના બેસ્ટ ક્રિકેટર માં જેનું નામ શામિલ છે તેવા વિનોદ કાંબલી તેમજ દિલ્હી કેપિટલ્સ ટીમ ના સી.ઈ.ઓ ધીરજ મલ્હોત્રા તેમજ ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન સોમજીત સિંહ ઉપસ્થિત રેહશે.
લાખો બેંક કર્મચારીઓને જલસા, હવે દર અઠવાડિયે બે દિવસની રજા મળશે, બસ આ શરત સ્વીકારવી પડશે
ટીમ ઇન્ડિયન ગ્લેડીયેટર્સ
ભીમા ખુંટી (કેપ્ટન), નરેન્દ્ર બરોલીયા, રાજા બાબુ, પોશન ધ્રુવ (કિપર) ઉમેશ કૌશિક, ગોલુ ચૌધરી, અજય યાદવ, કમલ કાંચોલ, અકાર અવસ્થી, સુખવન્ત સિંહ અને દુષ્યંત.