જીતુ વાઘાણીએ આજે એક મોટી જાહેરાત કરતા વાત કરી હતી કે, સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ લોકોમાં એક અનેરો ઉત્સાહ આવી ગયો છે. વિગતો મળી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ આગળ વાત કરી કે ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે એવી વાત મળી રહી છે. જો કે વાઘાણીએ એવું પણ કહ્યું કે જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા તે બાદ પણ ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે. TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.