ગુજરાતમાં દરેક જિલ્લામાં હવે ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે દરેક ઉમેદવારોએ પૂરા જોરશોરથી ચુંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે, ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કુંભારવાડા વિસ્તારમાં સતત બે ટર્મથી જંગી બહુમતીથી જીત મેળવનાર ભાજપના ત્રીજી વખતના ઉમેદવાર જીતુ વાઘાણી એ કુંભારવાડા વિસ્તાર કાર્યલય નું ઉદઘાટન કર્યું હતું. પરંતુ એ સમયે એક ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યાં છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં ગોહિલવાડ રાજપુત સમાજ દ્વારા વખતો વખત મહાસંમેલન યોજીને દરેક પક્ષ પાસે ટિકિટની માંગ કરવામાં આવી હતી.
વિગતો મળી રહી છે કે કુંભારવાડા વિસ્તારમાં કાર્યાલયનું ઉદ્ધાટન કરી જિતુ વાઘાણીએ વિશાળ જનસભાને સંબોધી હતી. પરંતુ વાંધો એ આવ્યો કે ભાવનગરમાં ભાજપથી નારાજ ગોહિલવાડ રાજપૂત સમાજ મહિલા પાંખ દ્વારા શહેરનાં મિલ્ટરી સોસાયટી ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલા સંમેલન યોજાયું હતું. જેથી જીતુ વાઘાણીના ગઢમાં સંમેલન યોજાતા વિધાનસભા બેઠકના સમીકરણો બદલાય એવી પણ સંભાવનાઓ ક્યાંકને ક્યાંક દેખાઈ રહી છે. આ વખતે ભાજપ દ્વારા ભાવનગરની સાત વિધાનસભા બેઠક પૈકી એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજમાં ન આપી હોવાના કારણે આ સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઇને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી પ્રચાર કરી રહ્યો છે. જેના ભાગરૂપે આજે શહેરના પ્રેસ ક્વાર્ટર ખાતે ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજ દ્વારા સામાજિક જાગરણ સંમેલન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો.
કાર્યક્રમ વિશે માહિતી સામે આવી રહી છે કે આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ પ્રમુખ વાસુદેવસિંહ ગોહીલ અને પશ્ચિમ વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ કુંભાજી ગોહિલ (કે.કે.ગોહિલ) ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના પગલે કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ ગોહિલ સંમેલન સ્થળ પર ઉપસ્થિત થતા તમામ ક્ષત્રિય મહિલાઓ એ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા અને જાહેરમાં ખુલ્લું સમર્થન આપી તેમને જીત અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે ભાજપની જીતના સમીકરણો બદલાઈ એવી શક્યતાઓ દેખાઈ રહી છે.