Gujarat News: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરીને ખેડૂતોને સોનેરી સલાહ આપતા વાત કરી હતી કે ઉનાળું પાક અળદ, તલ, બાજરી, મગફળીનું મોડામાં મોડું 10થી 12 માર્ચ સુધીમાં વાવેતર કરી દેવું. આ સાથે તેમણે કમોસમી વરસાદ અંગે જણાવ્યુ છે કે, માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે અને આજથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે. 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. ત્યારે હવે હવામાન વિભાગે નવી આગાહી કરી છે.
હાલના દિવોસમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં માવઠા બાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં સવારે અને રાતે ઠંડી તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેવાની શક્યતા છે. ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે એવી પણ વાત સામે આવી રહી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો અમદાવાદ લધુત્તમ 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
જો કોઈ એવું વિચારે કે ભારત તેના વિના જીતી શકતું નથી તો… ગાવસ્કરે કોહલીને મરચા લાગે એવી વાત કરી
એ જ રીતે ગાંધીનગરના વાતાવરણ વિશે વાત કરીએ તો લઘુત્તમ 16.4 અને મહત્તમ 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં 9મી માર્ચથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઊંચો જઇ શકે છે. જેથી ગુજરાતીઓને બે દિવસ બાદ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.