મોરબી પૂલની ગોઝારી ઘટનામાં માતા-પિતા ગુમાવનાર બાળકીને લાખો રૂપિયાની સહાય, ધન્ય છે અમદાવાદની 74 શાળાઓને

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

મોરબીમાં મચ્છુ નદી પર આવેલો કેબલ બ્રિજની 100 લોકોની ક્ષમતા હતી અને પુલ પર 300-400 લોકો આવી જતા પૂલ તુટી પડ્યો હતો. આ ઘટનામા 300-400 લોકો નદીમાં પડી ગયા. કેટલાક લોકોએ બ્રિજના બાકીના ભાગને અને કેટલાક લોકોએ દોરડા પર લટકાવવાનો પ્રયાસ કર્યો. તેમાંથી કેટલાક તો પોતાનો જીવ બચાવવામાં પણ સફળ થયા. જ્યારે આ અકસ્માતમાં 141 લોકોના મોત થયા છે. હવે આ મામલે માતા-પિતા ગુમાવનાર બાળકોને લઈને મોટા સમાચાર આવ્યા છે.

અકસ્માતમાં 141 લોકોના મોત

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામા માતા-પિતા ગુમાવનાર બાળકોને મદદ માટે અનેક સંસ્થાઓ તેમજ સ્કૂલો આગળ આવી છે. 20 ભૂલકાઓએ માતા-પિતા અથવા બેમાંથી એકને ગુમાવ્યા છે. આ દુર્ઘટનામા અમદાવાદની એક નાનકડી 4 વર્ષની બાળકીએ પણ માતા પિતા ગુમાવ્યા. હવે આ દીકરીની મદદ માટે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી આગળ આવ્યા છે અને સ્કૂલોને સહાય કરવા માટે અપીલ કરી છે. આ બાદ અમદાવાદની 74 સ્કૂલોએ રૂ.3.13 લાખની સહાય બાળકીને કરી છે.

અમદાવાદની 4 વર્ષની બાળકીને મદદ

આ સિવાય અદાણી ફાઉન્ડેશન પણ આવા બાળકોના ભવિષ્ય માટે આગળ આવ્યુ છે. આ 20 ભૂલકાઓ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા રૂ.5 કરોડની મદદની જાહેરાત કરવામાં આવી હતી.

આ સાથે દુર્ઘટનામાં 7 બાળકો એવા છે જેને માતા અને પિતા બંનેને ગુમાવ્યા છે અને 12 બાળકોએ બંનેમાંથી કોઈ એકને. આ સિવાય પુલની દુર્ઘટનામાં પતિને ગુમાવનાર સગર્ભા મહિલાના બાળક માટે પણ મદદ કરાઈ છે. આ માટે રૂ.25 લાખની ફીક્સ ઉભી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

 

 


Share this Article