બિપોરજોય વાવાઝોડાના કારણે પાટડીના વડગામ ગામે શૈક્ષણિક સંકુલના પતરા ઉડ્યા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

બિપરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રકિયા શરૂ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી આ પ્રકિયા ચાલશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. દરિયાના તટિય વિસ્તારમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. જેના પગલે અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે તો કેટલીક જગ્યા વીજ પોલ પણ પડી ગયા છે.

ત્યારે પાટડીના વડગામ ગામે લોક કલ્યાણ સેવા સંસ્થા શૈક્ષણિક સંકુલમાં ભારે પવન અને વાવાઝોડાના કારણે પતરા ઉડ્યા હતા. આ સંકુલના પતરાં પંખા, લોખંડ ની એંગ્લો સાથે ઉડ્યા હવામાં ઉડ્યા હતા.

આ પણ વાંચો

જય હો ગુજરાત! સાઈક્લોન વોર્નિંગ સિસ્ટમ, શેલ્ટર હોમ… ચક્રવાતના વિનાશથી લોકોને બચાવવા માટેનું મહાન અભિયાન

મહા વાવાઝોડું ગુજરાતની ધરતીને ટકરાઈ ગયું, આ રીતે ધીરે ધીરે વિનાશ વેરાશે, આવું હશે તબાહીનું દ્રશ્ય, જાણો બધુ જ

હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું

ત્યારે લોક કલ્યાણ સેવા સંસ્થા શૈક્ષણિક સંકુલના ફર્નિચર, લાઇટ, પંખા, ગાદલાં સહીતને નુકસાન થયું હતું. લોક કલ્યાણ સેવા સંસ્થા શૈક્ષણિક સંકુલમાં વિનામૂલ્યે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને 1થી12 નું શિક્ષણ અપાતું હતું


Share this Article