મોરબી ઝુલતા પુલની ઘટના કોઈને સદીઓ સુધી ભુલાઈ એવી નથી. જ્યારથી ઘટના બની ત્યારથી ગઇકાલે સતત 5માં દિવસે મોરબીના ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયુ ઓપરેશન પૂર્ણ થઇ ગયું હતું. આ અંગે રાહત કમિશનરે જાણ કરી હતી. ત્યારે મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કર્યા બાદ હવે ઓરેવા (OREVA) કંપનીના માલિક જયસુખ પટેલનું લોકેશન સામે આવ્યું છે. ઓરેવાના જયસુખ પટેલનું લોકેશન હરિદ્વારમાં હોવાની ચર્ચા સામે આવી છે. જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વારમાં હોવાની ચર્ચા થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે જયસુખ પટેલનો હરિદ્વારમાં બંગલો છે. તમને જણાવી દઇએ કે, રવિવારની ઝુલતા પુલની દુર્ઘટના બાદ જયસુખ પટેલ ગાયબ છે. ત્યારે પરિવાર સાથે જયસુખ પટેલ હરિદ્વાર ગયાની શક્યતા સેવાઇ રહી છે. સાથે જ વાત કરીએ તો મચ્છુ નદીમાં વિવિધ તપાસ ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો કામે લાગી હતી. આ દુર્ઘટનામાં 136 લોકોએ ગુમાવ્યા જીવ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને રાહત કમિશનરે આજે મોરબીની મુલાકાત લિધી હતી જ્યાં તમામ અધિકારીઓ અને કલેક્ટર સાથે બેઠક યોજી હતી.
આ દરમિયાન રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવા નિર્ણય લીધો હતો.આ દરમિયાન બચાવ કાર્યમાં સહયોગ આપનારા તમામ તેમજ પત્રકારોનો કલેક્ટરે આભાર માન્યો હતો. બીજી બાજુ મોરબીની ઘટનામાં ઓરેવા કંપની અને મોરબી પાલિકાને વડોદરાની જાગૃત નાગરિક સંસ્થાએ નોટિસ પણ ફટકારી છે. મૃતકના પરિવારને રૂ. 1 કરોડ અને ઇજાગ્રસ્તને રૂ. 10 લાખ ચૂકવવા આ સંસ્થાએ નોટિસ ફટકારી છે. મોરબી જઈને પીડિત પરિવારને કાનૂની લડત માટે સંસ્થાના વડા મદદ કરશે.