Ahmedabad News: રેલવે બાદ હવે બુલેટ ટ્રેનના ટ્રેકના સેગમેન્ટ લગાવાની કામગીરીને પગલે બુધવારથી 13 દિવસ સુધી મણિનગર રેલવે ફાટક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 24 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. આ કામગીરી વર્ષ 2023ના નવેમ્બર માસમાં થવાની હતી પરંતુ તે સમયે કામગીરી ન થતાં આ નિર્ણય લેવાયો છે. આ સમય દરમિયાન ટ્રાફિકની ઝઘડીયા બ્રિજ અને ગુરુજી બ્રિજ પર ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. આ સાથે ટુ-વ્હીલર અને થ્રી- વ્હીલર વાહનો દક્ષિણી અંડરપાસનો ઉપયોગ કરી શકશે.
આ માટે તમારે અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ લેવો પડશે. આ બુલેટ ટ્રેનના ટ્રેકના સેગમેન્ટ લગાવાની કામગીરીને પગલે આજથી 13 દિવસ સુધી ચાલું રહેશે. એટલે જો તમે મણિનગર રેલવે ફાટક પરથી પસાર થઈ રહ્યા છો તો તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે.