ગુજરાતના મોરબી શહેરમાં પુલ તૂટી પડવાના કારણે 135 લોકોના મોત થયાના થોડા મહિનાઓ બાદ રાજ્ય સરકારે મંગળવારે મોટી કાર્યવાહી કરી હતી. સરકારે શહેરની મોરબી નગરપાલિકાનું વિસર્જન કર્યું છે. નગરપાલિકા પર ભાજપનું નિયંત્રણ હતું, જે રાજ્યમાં સત્તાધારી પક્ષ પણ છે.
બ્રિજ તૂટી પડવાને કારણે 135 લોકોના મોત થયા હતા
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ જી.ટી. પંડ્યાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાનું વિસર્જન કર્યું છે.” મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબર, 2022ના રોજ તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. નગરપાલિકા સાથે થયેલા કરાર હેઠળ ઓરેવા ગ્રૂપ દ્વારા આ પુલની જાળવણી અને સંચાલન કરવામાં આવી રહ્યું હતું.
શહેરી વિકાસ વિભાગે પાલિકાને નોટિસ ફટકારી હતી
જાન્યુઆરીમાં, રાજ્યના શહેરી વિકાસ વિભાગે નગરપાલિકાને ‘કારણ બતાવો નોટિસ’ જારી કરીને પૂછ્યું હતું કે તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ તેને શા માટે વિસર્જન ન કરવું જોઈએ. સરકારના જણાવ્યા મુજબ, ઓરેવા જૂથે 2018 અને 2020 ની વચ્ચે નગરપાલિકાને ઘણા પત્રો લખ્યા હતા, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે પુલની હાલત જર્જરિત છે અને જો પુલ લોકો માટે ખુલ્લો રહેશે તો ગંભીર અકસ્માતો થઈ શકે છે.
ઓરેવા ગ્રુપે બ્રિજની કામગીરીમાં અનેક ભૂલો કરી હતી
‘કારણ બતાવો નોટિસ’માં દાવો કરવામાં આવ્યો છે કે નાગરિક સંસ્થાએ કંપનીની આ ચેતવણીઓ પર ધ્યાન આપ્યું નથી. તેમાં ઉમેર્યું હતું કે 2017માં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પાલિકાએ કંપની પાસેથી બ્રિજ લેવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના તારણોને ટાંકીને નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઓરેવા ગ્રૂપે પુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં ઘણી ભૂલો કરી છે.
35 કરોડ લોકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા મોદી સરકારે આપી જબરદસ્ત ભેટ! જાણો તમારા ફાયદાની વાત
સેલિબ્રેશનની તૈયારી શરૂ કરો… પરિણિતી ચોપરા સાથે લગ્નની વાત પર રાઘવ ચઢ્ઢાએ આપી દીધું ગ્રીન સિગ્નલ
41 કાઉન્સિલરોએ કહ્યું- ઓરેવા ગ્રુપ સાથેના કરાર વિશે ખબર નથી
નગરપાલિકાએ નિર્દોષતાની દલીલ કરીને નોટિસનો જવાબ આપતા કહ્યું કે તેણે ઓરેવા જૂથને બ્રિજ સોંપવાની ક્યારેય મંજૂરી આપી નથી. તેના 52 કાઉન્સિલરોમાંથી 41એ અલગ જવાબ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તેમાંના મોટા ભાગનાને ઓરેવા ગ્રૂપને જે કરાર હેઠળ બ્રિજ સોંપવામાં આવ્યો હતો તેની જાણ ન હતી. મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા તમામ 52 કાઉન્સિલરો સત્તાધારી ભાજપના હતા.