ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ભરતી મેળાનો સીલસીલો યથાવત્ છે. ભાજપમાં વિવિધ નેતાઓ અન્ય પક્ષમાંથી પાર્ટીમાં જાેડાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભાજપનો આજે વધુ એક ભરતી મેળો યોજાયો છે. મહત્વનું છે કે, મોદી ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે પ્રબુદ્ધ નાગરિકોને ભાજપામાં જાેડવા માટે આહવાન કર્યું હતું. જે બાદ અલગ અલગ સેલ સક્રિય થઈ ગયા છે.થોડા દિવસ પહેલા જ એક હજારથી વધારે ડોકટર ભાજપમાં જાેડાયા હતાં.
હવે શિક્ષણ સેલ દ્વારા અધ્યાપકને ભાજપમાં જાેડાયા છે.૨૫૦ થી વધારે અધ્યાપક ભાજપમાં જાેડાયા છે.પ્રદેશ અધ્યક્ષ શ્રીઅધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ ખાતે મોટી સંખ્યામાં અધ્યાપકો ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ તમામ અધ્યાપક જાેડાયા છે.શિક્ષણ સેલને તેની જવાબદારી સોંપી હતી અને આ તમામ નવા જાેડાયેલા અધ્યાપકોને પણ વધુ માં વધુ લોકો ને ભાજપમાં જાેડવા માટે જણાવવામાં આવ્યું છે.
ગુજરાત માં ૯૦૦ જેટલા અધ્યાપક ની જગ્યા ખાલી છે એ મામલે નિયમ મુજબ ભરતી થાય એ જરૂરી થાય તે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત ૯ મેના રોજ ગાંધીનગરના કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ૨૦૦થી વધુ નામાંકીત તબીબો ભાજપમાં જાેડાયા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સિવિલમાંથી રાજીનામું આપનારા તબીબો સહિત અન્ય ડૉક્ટરો ભાજપમાં જાેડાયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ તબીબોને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. સિવિલમાંથી રાજીનામું આપનારા પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વી.જે. મોદી, પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓએસડી ડો. પ્રભાકર તેમજ બી.જે. મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડો. પ્રણય શાહ ભાજપમાં જાેડાયા હતા. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે