છેલ્લા 3 દિવસથી ભારે વિવાદનો મુદ્દો બનેલ સાળંગપુરના ભીતચિત્રો મામલે એક સારો નિર્ણય સામે આવ્યો છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો મામલે સાધુ સંતો અને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. આ બેઠકમાં ભીંતચિત્રોને લઈને ઉભા થયેલા વિવાદનો સુખદ અંત લાવવા ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સાળંગપુરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે.
તો વળી આજે સરખેજના લંબે હનુમાન ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત થયા છે અને આ બેઠકમાં ભીંતચિત્રો સામે ઉઠેલા વિરોધ મામલે મહત્વનો નિર્ણય લીધો હતો.
સંતો દ્વારા આ મામલે મહત્વના શપથ લેવામાં આવ્યા છે અને તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરશે.
પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના લગ્નનું સ્થળ આખરે જાહેર, તારીખ અને કેટલા લોકો આવશે? જાણો સંપૂર્ણ વિગતો
હવામાન વિભાગ vs અંબાલાલ પટેલઃ એક કહે છે વરસાદ નહીં પડે તો બીજાની ધોધમાર વરસાદની આગાહી
આ સિવાય સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને નહીં આવકારવાનો પણ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે સાળંગપુર ભીંતચિત્રો મુદ્દે બેઠક કરવા માટે ઋષિ ભારતી બાપુએ આમંત્રણ આપ્યું હતું, જ્યાં સાધુ-સંતો હાજર રહ્યા અને આ મુદ્દે ચર્ચા કરીને સ્વામીનારાયણ સંપ્રદાયના બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે.