ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાનો ગુસ્સો ચર્ચામાં છે. મેરી માટી-મેરા દેશ કાર્યક્રમમાં રીવાબાનો ગુસ્સો ફાટી નીકળ્યા બાદ હવે ભાભી નયના જાડેજાએ ચોંકાવનારી વાત કહી છે કે જામનગરના લાખોટા તળાવના શહીદ સ્મારક પર થયેલ ઝઘડો 2024 સાથે જોડાયેલો છે. નયના જાડેજાએ કહ્યું છે કે આ સર્વાઈવલની લડાઈ છે. આગામી લોકસભા ચૂંટણી માટે આવું બન્યું છે.
હકુભાની જેમ પૂનમ માડમની ટિકિટ કપાશે. નયના અહીં જ ન અટકી, રિવાબા જાડેજાના ગુસ્સા પર કહ્યું કે આ તેમનો સ્વભાવ છે. ગયા વર્ષે જ્યારે રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાએ વિરોધમાં પ્રચાર કર્યો હતો અને રીવાબાની મુશ્કેલીઓ વધારી હતી.
ચપ્પલ બાબતે ઝઘડો થયો હતો
મેરી માટી મેરા કાર્યક્રમની જેમ લાખોટા તળાવ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂનમ માડમ ચપ્પલ પહેરીને હાર અર્પણ કરવા ગયા હતા. રીવાબા જાડેજા પોતાના ચપ્પલ ઉતારીને સ્મારક ગયા હતા. એવો આરોપ છે કે પૂનમ માડમે ટિપ્પણી કરી હતી કે કેટલાક લોકો સ્માર્ટ બની જાય છે. આ પછી રીવાબા ગુસ્સે થઈ ગયા અને સ્થળ પર જ તેમણે પહેલા મેયર અને પછી સાંસદ પૂનમ માડમ પર ગુસ્સો કાઢ્યો હતો.
જામનગરના મેયર બીના કોઠારીની હાજરીમાં ત્રણ મહિલા આગેવાનો સાથે મીડિયાની હાજરીમાં થયેલી બોલાચાલી વાયરલ થઈ હતી. બાદ મેયરે સમગ્ર મામલાને ભાજપનો આંતરિક અને પારિવારિક મામલો ગણાવ્યો હતો. તો ત્યાં રીવાબા જાડેજાએ કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું નથી કહ્યું. આ વિવાદે જોર પકડ્યા બાદ હવે પૂનમ માડમનો ખુલાસો પણ સામે આવ્યો હતો.
ટામેટાંનો પાવર હોય તો કાઢી નાખજો! 250, 100નો જમાનો ગયો, હવે મળશે 30 રૂપિયા પ્રતિ કિલો, જાણો ક્યારથી
પૂનમબેનનું કહેવું છે કે જે પણ થયું તે ગેરસમજના કારણે ખૂબ જ ટૂંકા સમયમાં થયું. ગ્રુપ ફોટો માટે દોઢ મિનિટમાં જે સંવાદ થયો. તેના સિવાય આગળ અને પાછળ કંઈ નથી. ભાજપ એક પરિવાર છે. તે હંમેશા ત્યાં રહેશે. પરિવારમાં ક્યારેક વાસણો ભભડે બસ એટલું જ.. પરંતુ તે મોટી વાત નથી. અમે અનેક કાર્યક્રમો સાથે કર્યા અને હજુ પણ સાથે કરશું.