એક વાત આખા ગામમાં પ્રચલિત છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાનું પાણી ખેડુતોના ખેતરો સુધી પહોંચાડવાની વાતો કરવામાં આવી રહી છે. જો કે નરી વાસ્તવિકતાએ છે કે, આજની તારીખે માળીયાના તરઘરી સહિતના અનેક ગામોમાં સિંચાઇ માટે કોઈ જ પ્રકારનું પાણી પહોંચાડવામાં આવ્યુ નથી. જેના કારણે ખેડુતોની હાલત દિન પ્રતિદિન કફોડી થઈ ગઈ છે.
ધંધા રોજગારની સાથોસાથ હવે દીકરા-દીકરીના સબંધ કરવામાં પણ મોટા પ્રમાણમાં મુશ્કેલીઓ પડી રહી હોવાથી ગામડાને છોડવા માટે ખેડૂતો મજબુર બની ગયા છે. એક તરફ સરકાર દ્વારા ખેડૂતોની આવકને બમણી કરીને ગામડાઓને સમૃદ્ધ કરવાની વાતો કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ આવી કડવી વાસ્તવિકતાઓ પણ જોવા મળી રહી છે. ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો ખ્યાલ આવે કે આજની તારીખે ઘણા ગામડાઓ સુધી સિચાઈ માટેના પાણીની વ્યવસ્થા સરકાર પહોચાડી શકી નથી. જેના કારણે ગામડા ભાંગી રહ્યા છે આવું જ એક ગામડું એટલે કે તરઘરી ગામ. આ ગામ મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં આવેલ છે.
એક સમયે આ ગામમાં 2500 જેટલા લોકોની વસ્તી હતી. જો કે, સિંચાઇનું પાણી ન હોવાથી ખેતી પડી ભાંગી છે અને ગામના લોકો રોજગારી મેળવવા માટે ગામ છોડીને જવા લાગ્યા છે. જેથી માત્ર 250 જેટલા જ લોકો ગામમાં રહે છે. આમ જોવા જઈએ તો ગામડામાં જે શાંતિ, પ્રદુષણ મુક્ત વાતાવરણ મળે છે તેવું શહેરમાં મળતું નથી પરંતુ આ પોણા ગામમાં તાળા છે.
આ ઘરોમાં રહેતા લોકોને પોતાના ગામમાંથી ધંધા રોજગાર માટે હિજરત કરીને મોરબી કે પછી અન્ય શહેરમાં ચાલ્યા ગયા છે. આ વાત સંભાળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, આ હક્કિત છે. વિગતો મળી રહી છે કે માળીયા તાલુકાના તરઘરી ગામની વાત કરીએ તો એક સમયે 10 વર્ષ પહેલા આ ગામની અંદર 2500 થી વધુ લોકો રહેતા હતા. જો કે, આજની તારીખે આ ગામમાં માત્ર 250 લોકો રહે છે અને તેમાં પણ સીનીયર સીટીઝન છે.
બાકીના યુવાનો તો ખેતી પડી ભાંગી હોવાથી ધંધા રોજગાર માટે ગામ છોડીને ચાલ્યા હતા છે. જેથી મોટાભાગના મકાનો બંધ પડ્યા છે. જો ગામના સરપંચના કહેવા પ્રમાણે વાત કરવામાં આવે તો હાલમાં ગામના મતદારોની યાદીમાં 1300 જેટલા લોકોનો સમાવેશ થાય છે જો કો, વાસ્તવિક રીતે ગામમાં 250 જેટલા જ લોકો રહે છે કેમ કે, સિંચાઇનું પાણી ન હોવાથી ખેતી થતી નથી અને અન્યે કોઇ આવકના સાધનો પણ આ ગામમાં નથી જેથી લોકો મજબુરીવસ ગામને છોડી રહ્યા છે.
અત્રે ઉલેખનીય છે કે, હીરા બજારમાં તેજી હતી ત્યારે આ ગામની બાજુમાં જ આવેલા નાનાભેલા ગામમાં એક કે બે નહિ પરંતુ છ હીરાના કારખાના ધમધમતા હતા. જેથી તરઘરી ગામના યુવાનો તે ગામમાં રોજગારી મેળવવા માટે જતા હતા. જો કે, આજની પરીસ્થીતીએ કારખાના બંધ થઇ ગયા છે, ખેતી ખત્મ થઇ ગઈ છે જેથી તરઘરીગામ પડી ભાંગ્યું છે.