આજે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે જેનાથી સમાન્ય માણસને મોટી રાહત મળશે. સરકારની કેબિનેટ બેઠકમા આજે લેવાયેલા નિર્નય અંગે જીતુ વાઘણીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મહેસુલ વિભાગે એફિડેવિટમાંથી મુક્તિનો નિર્ણય કર્યો છે.
આ અંગે વાત કરતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યુ કે કેટલીક જગ્યાએ અમલવારીનો પ્રશ્ન થતો હતો, આ બાદ સરકારે મહેસૂલી કામમાં એફિડેવિટમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે અને CMએ સેલ્ફ ડિકરેશન અંગે મુખ્ય સચિવને સૂચના આપી દીધી છે.
આ સિવાય ખેડૂતો માટે પણ એક સારા સમાચાર છે કે હવે ટેકાના ભાવે તુવેરની ખરીદી 90 દિવસ સુધી ચાલુ રહેશે અને ચણાનું રજીસ્ટ્રેશન 28 ફેબ્રુઆરી સુધી કરી શકાશે.