World Cup 2023: ODI વર્લ્ડ કપ વચ્ચે પાકિસ્તાન ટીમ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં રમાનારી ભારત અને પાકિસ્તાન મેચને કવર કરવા માટે ઘણા પાકિસ્તાની પત્રકારોને ભારતના વિઝા મળ્યા છે. જોકે અત્યાર સુધી માત્ર પાકિસ્તાની ટીમના ખેલાડીઓને જ વર્લ્ડ કપ માટે ભારતના વિઝા મળ્યા હતા. પરંતુ હવે પત્રકારો માટે મોટી રાહત થઈ છે.
RevSportzના અહેવાલ મુજબ, પાકિસ્તાનના 60 થી વધુ પત્રકારોને ભારતના વિઝા મળ્યા છે. તમામ પત્રકારો અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન મેચને કવર કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. શાનદાર મેચને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
પાકિસ્તાને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં(Rajiv Gandhi International Stadium) વર્લ્ડ કપની પ્રથમ બે મેચ રમી હતી. પાકિસ્તાને બંને મેચમાં જીત નોંધાવી છે. પ્રથમ મેચ નેધરલેન્ડ સામે અને બીજી શ્રીલંકા સામે રમાઈ હતી. શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાને ODI વર્લ્ડ કપના સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો હતો.
બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમ 27 સપ્ટેમ્બરે ભારત પહોંચી હતી. ટીમ હૈદરાબાદ પહોંચી, જ્યાં તેણે વર્લ્ડ કપ પહેલા બંને વોર્મ-અપ મેચ રમી. હવે પાકિસ્તાન આગામી મેચ માટે અમદાવાદ જશે.
નવરાત્રિના પહેલા જ દિવસે આ 3 કલાક રહેશે અતિ અશુભ, જોજો થાપ ન ખાઈ જતાં, જાણો ઘટસ્થાપનનો સાચો સમય
નવરાત્રિના આ 3 યોગ ખોલશે લોકોની કિસ્મતના તાળા, મા દુર્ગા વરસાવશે અપાર ધન, તિજોરીમાં જગ્યા ઓછી પડશે
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થઈ હતી
આ પહેલા એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 સ્ટેજની મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 228 રને જીતી લીધી હતી. ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. બોલિંગમાં સ્પિનર કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. 2019 વર્લ્ડ કપમાં રમાયેલી મેચમાં પણ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં, ચાહકો આ વખતે પણ બંને વચ્ચેની સ્પર્ધા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.