આપણે સૌથી પહેલા જો વરસાદની આગાહીની વાત કરીએ તો 4 દિવસ સુધી અલગ અલગ વિસ્તારની આગાહી કરવામાં આવી છે. જેનું વાર પ્રમાણે લિસ્ટ કંઈક નીચે પ્રમાણે છે.
શનિવાર : નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, દમણ અને દાદરા નગર હવેલી, કચ્છ, દીવ ગીર સોમનાથ,
રવિવાર : વલસાડ, પોરબંદર, જૂનગઢ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દીવ, દમણ અને દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ,
સોમવાર : જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ડાંગ, વલસાડ, નવસારી, આણંદ, ભરૂચ, સુરત, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, તાપી, પોરબંદર, ભાવનગર, બોટાદ, દમણ અને દાદરા નગર હવેલી, અમરેલી
મંગળવાર : ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, નર્મદા, સુરત, ડાંગ, ભરૂચ, રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, ખેડા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. બે દિવસથી ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. જોકે હજુ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરતાં જ લોકોમાં ફરી ખુશીનો માહોલ પણ છવાયો છે.
તો આ તરફ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે. તો પ્રાચીતીર્થ માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે.
મચ્છુન્દ્રીનો દ્રોણેશ્વર ડેમ ફરીથી ઓવરફ્લો થયો છે. મંગળવારથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના નવસારી, વલસાડ તેમજ પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહી છે.